
એક નાનકડા દ્રીપ પર આવેલું વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારી એક પ્રવાસન સ્થળ પણ છે. સ્વામી વિવેકાનંદે 1892માં 3 દિવસ સુધી અહિ ધ્યાન કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતુ. રોક મેમોરિયલનું મુખ્ય આકર્ષણ વિવેકાનંદ મંડપમ અને શ્રીપાદ મંડપમ છે. આ સ્થળ પર જવા માટેનો સૌથી બેસ્ટ સમય ઓક્ટોબર થી માર્ચ મહિનો છે.

આ સ્મારક 26 ડિસેમ્બર 2004ના રોજ વિનાશકારી ભૂકંપ અને સુનામીમાં પોતાનો જીવ ગુમાવનાર લોકોની યાદ માટે બનાવવામાં આવ્યું છે. 16 ફુટ સ્મારક, જેમાં બે હાથ છે શહેરના દક્ષિણ કિનારે પાસે આવેલું છે. આ સ્થળ પણ જોવાલાયક સ્થળ છે. (photo : Pinterest)

વિવેકાનંદ રોક મેમોરિયલને પાસે આવેલી આ વિશાળ પ્રતિમા ઇતિહાસ પ્રેમીઓ અને સ્થાપત્ય પ્રેમીઓમાં લોકપ્રિય આકર્ષણ છે. આ એક પ્રમુખ તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરને સમર્પિત છે. 133 ફુટ ઉંચી આ પ્રતિમા 38 ફુટ ઉંચા આસન પર ઉભેલી છે. આ સ્થાન સાંસ્કૃતિક મહત્વ રાખે છે.(photo : Amazing India )
Published On - 2:47 pm, Thu, 30 May 24