
બદલાતા હવામાન અને પ્રદૂષણ બંનેના કારણે શરીર પર બેવડી અસર થાય છે અને શરદી અને ઉધરસની સમસ્યા ઊભી થાય છે. આવી સ્થિતિમાં તમારી જાતને બચાવવા માટે તમે ગરમ પાણીમાં અજમો નાખીને સ્ટીમ લઈ શકો છો. સ્ટીમ લેતી વખતે ધ્યાન રાખો કે તમારું શરીર સારી રીતે ઢંકાયેલું હોય જેથી તમને પરસેવો થાય.

તમે લીમડાના ગુણોથી સારી રીતે વાકેફ હશો. લીમડો તેની આસપાસના વાતાવરણમાંથી પ્રદૂષિત હવાને શોષી લે છે, તેથી તમે તમારા ઘરની આસપાસ લીમડાના બને એટલા વધારે વૃક્ષ વાવો. તમે લીમડાના પાન પણ ખાઈ શકો છો, તે તમારા લોહીને શુદ્ધ કરે છે.

કાળી મિર્ચ અને તુલસીના પાંદડાઓને પાણીમાં ઉકાળીને કહાવો બનાવો. આ કહાવો બે વાર પીવાથી ગળાની ખરાશ દૂર થાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.
Published On - 7:25 pm, Tue, 19 November 24