
કેરી સાથે ખાટાં ફળો ખાવાનું ટાળો, કારણ કે તેનાથી પેટમાં રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે.

ઘણા લોકો કેરી અને દૂધ મિક્સ કરીને શેક બનાવીને પીવે છે. નિષ્ણાતોના મતે આનાથી પિત્ત વધી શકે છે. કારણ કે કેરી ઝડપથી પચી જાય છે. દૂધ પચવામાં વધુ સમય લે છે.

કેરી અને દહીં એકસાથે ખાવાથી અપચો થઈ શકે છે. કારણ કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે અને કેરીમાં કુદરતી ખાંડ હોય છે. આ બંનેને એકસાથે ખાવાથી અપચો થઈ શકે છે.

તળેલા ખોરાક ખાધા પછી તરત જ કેરી ખાવી નહીં. કારણ કે કેરીમાં કુદરતી ખાંડ હોય છે અને તેને તળેલા ખોરાક સાથે ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે. જેનાથી એસિડ રિફ્લક્સ થઈ શકે છે.

રાજમા અને ચણા ખાધા પછી પણ કેરી ખાવી ટાળવી જોઈએ કેમ કે તેમાં ભારે પ્રોટીન હોય છે. તેથી તેને પચવામાં વધારાનો સમય લાગી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.