
જો તમારી પાસે પૈસા છે પણ તે બિનજરૂરી રીતે ખર્ચાઈ જાય છે, તો આમાંથી છુટકારો મેળવવા માટે તમારે વરસાદ દરમિયાન ઘરની બહાર એક માટીનું વાસણ મૂકી રાખવું. જ્યારે આ વાસણ વરસાદના પાણીથી ભરાઈ જાય, ત્યારે તેને ઘરની અંદર લાવો અને ઉત્તર-પૂર્વ દિશાના ખૂણામાં અથવા તો ફક્ત ઘરની ઉત્તર દિશામાં મૂકી રાખો. જ્યારે તમે આવું કરો છો, ત્યારે પૈસા સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ જશે કાં તો સંપૂર્ણ બંધ થઈ જશે.

જો તમારા જીવનમાં પૈસાની અછત છે, તો તમારે એક વાસણમાં વરસાદનું પાણી લઈ લેવું અને તેને ધાબે તડકામાં મૂકી રાખવું. તમારે ખાસ ધ્યાન રાખવું કે, જ્યાં તમે આ વાસણ રાખ્યું છે તે જગ્યા પર સૂર્યપ્રકાશ પડે. હવે તેમાં આંબાના પત્તા નાખવા અને ઘરમાં તમે જે ભગવાનની પૂજા કરો છો તેમનું નામ લેવું. જ્યારે તમે આટલું કરો છો, ત્યારે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસે છે. આ ઉપાયથી તમારે ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં.