અષાઢ પૂર્ણિમાએ બનશે મહાશુભ ‘ગજકેસરી રાજયોગ’, આ 4 રાશિઓ માટે ઊગશે સોનાનો સુરજ

29 જુલાઈ 2026 ના રોજ આવનારી અષાઢ પૂર્ણિમા જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાની છે. આ દિવસે ચંદ્રમા મકર રાશિમાં અને ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક ક્ષેત્રમાં હોવાથી બંને વચ્ચે 'સમસપ્તક યોગ' સર્જાશે, જેના કારણે અત્યંત શુભ ગણાતા 'ગજકેસરી રાજયોગ'નું નિર્માણ થશે. આ રાજયોગ કેટલીક વિશેષ રાશિઓ માટે ભાગ્યોદય કરનારો અને આર્થિક સમૃદ્ધિ લાવનારો સાબિત થઈ શકે છે.

| Updated on: Jul 24, 2026 | 5:54 PM
1 / 5
અષાઢ પૂર્ણિમા 29 જુલાઈ 2026 ના રોજ છે. આ દિવસે ચંદ્રમા મકર રાશિમાં અને ગુરુ કર્ક રાશિમાં બિરાજમાન રહેશે. ટૂંકમાં, ગુરુ-ચંદ્ર વચ્ચે સમસપ્તક યોગ બનશે અને આના કારણે ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ દરમિયાન ગુરુ ગ્રહ ઉચ્ચ રાશિમાં હશે, જેથી કેટલાક લોકો માટે ગજકેસરી રાજયોગ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જ્યારે પણ કુંડળીમાં ગુરુ-ચંદ્રમા વચ્ચે યુતિ થાય છે અથવા બંને એકબીજાથી સપ્તમ ભાવમાં હોય છે, ત્યારે 'ગજકેસરી યોગ' બને છે.

અષાઢ પૂર્ણિમા 29 જુલાઈ 2026 ના રોજ છે. આ દિવસે ચંદ્રમા મકર રાશિમાં અને ગુરુ કર્ક રાશિમાં બિરાજમાન રહેશે. ટૂંકમાં, ગુરુ-ચંદ્ર વચ્ચે સમસપ્તક યોગ બનશે અને આના કારણે ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ દરમિયાન ગુરુ ગ્રહ ઉચ્ચ રાશિમાં હશે, જેથી કેટલાક લોકો માટે ગજકેસરી રાજયોગ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જ્યારે પણ કુંડળીમાં ગુરુ-ચંદ્રમા વચ્ચે યુતિ થાય છે અથવા બંને એકબીજાથી સપ્તમ ભાવમાં હોય છે, ત્યારે 'ગજકેસરી યોગ' બને છે.

2 / 5
કર્ક રાશિના જાતકો માટે ગજકેસરી યોગનું બનવું એ ગેમચેન્જર સાબિત થઈ શકે છે. કર્ક રાશિના જાતકોને આર્થિક લાભ મેળવવાની સારી તકો મળી શકે છે. બીજું કે, જે લોકો જીવનસાથી સાથે મળીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હતા; તેઓ આગળ વધી શકે છે. આ દરમિયાન શેરબજારમાં પૈસા રોકનારાઓને પણ લાભ મળવાની શક્યતા છે. આધ્યાત્મિક અને ધાર્મિક વિષયોમાં પણ આ રાશિના જાતકોની રૂચિ વધી શકે છે. ભગવાન શિવના મંત્રોનો જાપ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.

કર્ક રાશિના જાતકો માટે ગજકેસરી યોગનું બનવું એ ગેમચેન્જર સાબિત થઈ શકે છે. કર્ક રાશિના જાતકોને આર્થિક લાભ મેળવવાની સારી તકો મળી શકે છે. બીજું કે, જે લોકો જીવનસાથી સાથે મળીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હતા; તેઓ આગળ વધી શકે છે. આ દરમિયાન શેરબજારમાં પૈસા રોકનારાઓને પણ લાભ મળવાની શક્યતા છે. આધ્યાત્મિક અને ધાર્મિક વિષયોમાં પણ આ રાશિના જાતકોની રૂચિ વધી શકે છે. ભગવાન શિવના મંત્રોનો જાપ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.

3 / 5
વર્તમાન સમયમાં ગુરુ ગ્રહ 'કન્યા રાશિ'ના લાભ ભાવમાં છે, જ્યારે આષાઢ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા તમારા શિક્ષણ અને પ્રેમના ભાવમાં બિરાજમાન રહેશે. ગુરુ-ચંદ્રની સ્થિતિના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સાનુકૂળ પરિણામ મળી શકે છે. કેટલાક લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકે છે. બીજી તરફ લાભ ભાવમાં બેઠેલા ગુરુ તમારી આવકમાં વધારો કરી શકે છે. કેટલાક લોકોને અચાનક પ્રમોશન (પદોન્નતિ) મળી શકે છે. સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે.

વર્તમાન સમયમાં ગુરુ ગ્રહ 'કન્યા રાશિ'ના લાભ ભાવમાં છે, જ્યારે આષાઢ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા તમારા શિક્ષણ અને પ્રેમના ભાવમાં બિરાજમાન રહેશે. ગુરુ-ચંદ્રની સ્થિતિના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સાનુકૂળ પરિણામ મળી શકે છે. કેટલાક લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકે છે. બીજી તરફ લાભ ભાવમાં બેઠેલા ગુરુ તમારી આવકમાં વધારો કરી શકે છે. કેટલાક લોકોને અચાનક પ્રમોશન (પદોન્નતિ) મળી શકે છે. સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે.

4 / 5
અષાઢ પૂર્ણિમાના દિવસે બનતા ગજકેસરી યોગના કારણે મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ખૂબ જ શુભ ફળ મળી શકે છે. વીતેલા સમયમાં તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારું ફળ પણ તમને મળી શકે છે. કેટલાક લોકોને મનપસંદ જગ્યાએ બદલી (તબાદલા) મળવાની પણ શક્યતા છે. આષાઢ પૂર્ણિમાના દિવસે મકર રાશિના લોકોને મોટી ખુશખબર પણ મળી શકે છે. વૈવાહિક જીવનમાં સારા ફેરફારો આવી શકે છે. રોકાણ કરેલા નાણાંથી લાભ મળવાની શક્યતા છે.

અષાઢ પૂર્ણિમાના દિવસે બનતા ગજકેસરી યોગના કારણે મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ખૂબ જ શુભ ફળ મળી શકે છે. વીતેલા સમયમાં તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારું ફળ પણ તમને મળી શકે છે. કેટલાક લોકોને મનપસંદ જગ્યાએ બદલી (તબાદલા) મળવાની પણ શક્યતા છે. આષાઢ પૂર્ણિમાના દિવસે મકર રાશિના લોકોને મોટી ખુશખબર પણ મળી શકે છે. વૈવાહિક જીવનમાં સારા ફેરફારો આવી શકે છે. રોકાણ કરેલા નાણાંથી લાભ મળવાની શક્યતા છે.

5 / 5
મીન રાશિના જાતકો માટે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ તમારા પ્રેમ ભાવમાં અને ચંદ્રમા લાભ ભાવમાં રહેવાથી જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે; જેમાં તમારી અટકેલી કે જૂની યોજનાઓ અચાનક પૂરી થતાં માનસિક શાંતિ મળશે, નોકરી કે રોજગારની નવી તકો ઊભી થશે, નાણાકીય સ્થિતિમાં સુધારો આવતાં આર્થિક પાસું મજબૂત બનશે અને સમાજના પ્રતિષ્ઠિત તથા માનવંત લોકો સાથે મુલાકાત થવાના પણ પ્રબળ યોગ બનશે.

મીન રાશિના જાતકો માટે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ તમારા પ્રેમ ભાવમાં અને ચંદ્રમા લાભ ભાવમાં રહેવાથી જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે; જેમાં તમારી અટકેલી કે જૂની યોજનાઓ અચાનક પૂરી થતાં માનસિક શાંતિ મળશે, નોકરી કે રોજગારની નવી તકો ઊભી થશે, નાણાકીય સ્થિતિમાં સુધારો આવતાં આર્થિક પાસું મજબૂત બનશે અને સમાજના પ્રતિષ્ઠિત તથા માનવંત લોકો સાથે મુલાકાત થવાના પણ પ્રબળ યોગ બનશે.

Follow Us