અનિતા આનંદ કેનેડાના બન્યા વિદેશ પ્રધાન, આ પદ પર પહોચનાર અનિતા પ્રથમ હિન્દુ મહિલા

કેનેડામાં નવી ચૂંટાયેલ સરકારના વિદેશ પ્રધાન તરીકે મૂળ ભારતીય એવા અનિતા આનંદની પસંદગી કરવામાં આવી છે. અનિતા આનંદે ગીતા પર હાથ રાખીને પ્રધાનપદના શપથ લીધા હતા. અનિતા આનંદના પિતા મૂળ તમિલનાડુના હતા. જ્યારે તેમના માતા પંજાબના હતા. અનિતા આનંદ એવા સમયે વિદેશ પ્રધાન બન્યા છે જ્યારે જસ્ટીન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સંબંધમાં થોડીક કડવાશ આવી ગઈ છે.

| Edited By: | Updated on: May 14, 2025 | 10:11 PM
4 / 5
અનિતા આનંદ પાસે ક્વીન્સ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી બે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી છે. તેમણે ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી તે જ વિષયમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

અનિતા આનંદ પાસે ક્વીન્સ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી બે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી છે. તેમણે ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી તે જ વિષયમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

5 / 5
અનિતા આનંદે પોતાના અગાઉના નિવેદનોમાં ભારતીય સેલિબ્રિટીઓ અને હિન્દુ મંદિરો પર તોડફોડની ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. જૂન 2024 માં, તેમણે કેનેડાના બ્રેમ્પટનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને લઈને નીકળેલી વિવાદાસ્પદ ઝાંખીની ફણ નિંદા કરી હતી.

અનિતા આનંદે પોતાના અગાઉના નિવેદનોમાં ભારતીય સેલિબ્રિટીઓ અને હિન્દુ મંદિરો પર તોડફોડની ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. જૂન 2024 માં, તેમણે કેનેડાના બ્રેમ્પટનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને લઈને નીકળેલી વિવાદાસ્પદ ઝાંખીની ફણ નિંદા કરી હતી.