
અનિતા આનંદ પાસે ક્વીન્સ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી બે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી છે. તેમણે ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી તે જ વિષયમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

અનિતા આનંદે પોતાના અગાઉના નિવેદનોમાં ભારતીય સેલિબ્રિટીઓ અને હિન્દુ મંદિરો પર તોડફોડની ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. જૂન 2024 માં, તેમણે કેનેડાના બ્રેમ્પટનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને લઈને નીકળેલી વિવાદાસ્પદ ઝાંખીની ફણ નિંદા કરી હતી.