
પ્રિયંકા ચહર ચૌધરી અભિનીત કલર્સનો 'નાગિન 7' લોકપ્રિય શો છે. હંમેશા તેના ભવ્ય કાલ્પનિક તત્વો અને રસપ્રદ પૌરાણિક કથાઓ માટે જાણીતો રહ્યો છે. આ શોએ ટેલિવિઝનના સૌથી પ્રતિષ્ઠિત ફેન્ટસી ડ્રામામાં પોતાનું સ્થાન મજબૂત રીતે જાળવી રાખ્યું છે. એકતા કપૂરનો આ શો ઘણો પોપ્યુલર છે. ત્યારે શોમાં મોટું સરપ્રાઈઝ કોલેબ જોવા મળ્યું છે. (ફોટો ક્રેડિટ-File Image)

આ વખતે શોમાં એક નવો અને અચંબિત કરનાર ટ્વિસ્ટ ઉમેરાયો છે. પોતાની ફિલ્મ ભૂતબંગલાના પ્રમોશનમાં વ્યસ્ત બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ શોમાં ‘નાગરાજ’ના પાત્રમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, જે શોની કહાનીને એક નવા સ્તરે લઈ જશે. તમને જણાવી દઈએ તો ભૂતબંગલા ફિલ્મને એકતા કપૂરે જ પ્રોડ્યુસ કરી છે આથી હવે નાગિન શોમાં પણ એન્ટ્રી કરી છે.(ફોટો ક્રેડિટ-File Image)

શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે. આ સંજોગોમાં નાગિનને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નાગરાજ એટલે કે અક્ષય કુમાર નાગરાનીની હિંમત વધારતો જોવા મળશે. (ફોટો ક્રેડિટ-File Image)

આ જ સમયે નાગરાજ દૈવી શક્તિ તરીકે પ્રગટ થાય છે. તે માત્ર નાગિનનું રક્ષણ જ નથી કરતો, પણ તેની શક્તિ અને હેતુને ફરીથી સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ છતાં, વધતી દુશ્મન શક્તિઓ વચ્ચે પ્રશ્ન રહે છે કે શું આ સહાય પૂરતી સાબિત થશે.(ફોટો ક્રેડિટ-File Image)

આ ટ્રેકમાં પ્રાચીન શક્તિઓ વચ્ચેનો ટક્કર દર્શાવવામાં આવ્યા છે, જે કથાને વધુ રસપ્રદ બનાવે છે. આ મુકાબલો નાગિનની સફર અને તે જે દુનિયાને બચાવવા માટે લડે છે તેને નવી દિશા આપી શકે છે.(ફોટો ક્રેડિટ-File Image)

આ અંગે અભિનેત્રી Priyanka Chahar Choudharyએ જણાવ્યું કે અક્ષય કુમાર સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ ખાસ રહ્યો. તેમણે કહ્યું કે અક્ષય સર સાથે સ્ક્રીન શેર કરવું ગૌરવની વાત છે, કારણ કે તેઓ સહ-અભિનેતા તરીકે ખૂબ સહયોગી છે. આવનારા એપિસોડ્સમાં દર્શકોને એક ભવ્ય અને અલૌકિક દૃશ્ય જોવા મળશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી છે.(ફોટો ક્રેડિટ-File Image)