
આ મામલે ન્યાયમૂર્તિ મિની પુષ્કર્ણાએ બચ્ચન પરિવારના વકીલની બધી દલીલો સાંભળી હતી અને સહમત થયા હતા કે પ્રતિવાદી અને અપલોડર્સ આ કેસમાં કોર્ટમાં હાજર થયા નથી. તેથી, તેમને પોતાનો બચાવ કરવા માટે કોઈ તક મળવાની સંભાવના રહી નથી. આ મામલે હવે આગામી સુનાવણી 17 માર્ચે થશે.

2023માં દિલ્હી હાઈકોર્ટએ આરાધ્યા બચ્ચનના આરોગ્યને લઈને ખોટી જાણકારી ફેલાવનાર યૂટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટએ કહ્યું હતું કે, "કોઈપણ બાળક, પછી તે સેલિબ્રિટીનું હોય કે સામાન્ય નાગરિકનું, સન્માન અને ગૌરવનો હકદાર છે. બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય વિશે ખોટી માહિતી ફેલાવવી અમાન્ય અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."