
બનનાર બેરેજ કમ બ્રિજના કારણે અચેર બજાર થી ઉપરવાસમાં સંગ્રહિત થનાર પાણીના જથ્થાનો મોટો ફાયદો મળશે. જેના વડે અમદાવાદ શહેરને પાણીની અછત તેમજ નર્મદા મેઇન કેનાલના મેઇન્ટેનન્સ રીપેરીંગ દરમ્યાન કોતરપુર ઇન્ટેકવેલ મારફતે આશરે 10 થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો શુધ્ધિકરણ માટે કોતરપુર વોટર વર્કસ ખાતે ઉપલબ્ધ થઇ શકશે.

પશ્ચિમ તરફ ટોરેન્ટ પાવર સ્ટેશન થી પૂર્વ માં કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ) ના બંન્ને રસ્તાઓને જોડતો બ્રીજ બનાવવામાં આવશે. જેના કારણે શહેરનાં પશ્ચિમ વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વના હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. જેથી ટ્રાફીક સમસ્યા ઘણી જ હળવી બનશે.

વધુમાં,થીમ બેઇઝ લાઇટીંગ તેમજ વોટર ટ્રાન્સ્પોર્ટેશનની સગવડ માટેની પણ પ્રપોઝલ કરવામાં આવેલ છે. બ્રીજ બન્ને સાઇડ ફુટપાથ સાથે તથા રીવરફ્રન્ટ રોડ માટે ચારેય બાજુએ મુખ્ય બ્રીજ સુધી કનેક્ટ કરતો બ્રિજ બનાવવાની પણ પ્રપોઝલ કરવામાં આવેલ છે. બનનાર બ્રીજ પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસ તેમજ પૂર્વ કાંઠે કેમ્પ સદર બજારને સરળતાથી જોડશે.
Published On - 3:49 pm, Sat, 11 November 23