
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાલમાં બે મિનારા છે પરંતુ પુનઃવિકાસ સાથે તેમાં મોઢેરા સૂર્ય મંદિરની ઝલક જોવા મળશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર જ બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અહીં બુલેટ ટ્રેન મેટ્રો અને રેલવેની ઉપરથી ઝડપથી પસાર થશે. ગુજરાતમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ 2026ના મધ્યમાં પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં જ્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે ત્યારે અમદાવાદનું કાલુપુર સ્ટેશન પણ વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ થશે. હાલમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર કુલ 12 પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ગુજરાતનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પશ્ચિમ રેલ્વે માટે આ સૌથી વધુ નફો આપતું સ્ટેશન પણ છે. વિભાજન પહેલા સિંધ મેલ અહીંથી પસાર થતો હતો. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો હાલમાં નાના-મોટા 19 રેલવે સ્ટેશન છે. અગાઉ અમદાવાદનું આ સ્ટેશન ગોકુલદાસ કોન્ટ્રાક્ટર અને એસોસિએટ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
Published On - 6:18 pm, Mon, 8 January 24