
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જે રીતના તપાસ શરૂ કરવામાં આવી તો પ્રાથમિક તારણ મુજબ બંને સંતાનોના પિતા તેને લઈને ગેરકાયદેસર રીતે વિદેશ ચાલ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું, પરંતુ પાસપોર્ટ અને અન્ય વિગતો પરથી ખ્યાલ આવ્યો કે તેઓ વિદેશ ગયા નથી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બંને બાળકોને તેના પિતા સુરતમાં હોવાની માહિતી મળતા પોલીસે સુરતના કામરેજ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.

કામરેજ વિસ્તાર ખૂબ મોટો હોવાથી પોલીસે ડોર ટુ ડોર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું, જેના માટે પોલીસે શાકભાજી વેચનાર, ફુગ્ગા વેચનાર અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડનાર કર્મચારી તરીકે વેસ પલટો કરી અને સમગ્ર વિસ્તારમાં બાળકોને તેના પિતાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સફળતા પ્રાપ્ત કરી હતી.

સુરતથી બંને બાળકોને અપહરણકર્તા પિતાને અમદાવાદ લાવીને પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા પિતાએ બંને બાળકોને લઈને ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ તેઓ સુરતના કામરેજ વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બંને બાળકોનો ખ્યાલ કોઈ પરિવારને આવે નહીં તેના માટે પિતાએ પરિવાર સાથે પણ સંબંધ છોડી દીધો હતો. તો બીજી તરફ કામરેજ વિસ્તારમાં પણ કોઈ સ્થાનિક લોકોને ખ્યાલ ન પડે તેના માટે તે બંને બાળકોને સ્કૂલે પણ મોકલતા નહીં.

જોકે પિતા જે મહિલા સાથે લિવઈનમાં રહેતા તે મહિલાના પતિનું પણ કોરોના સમયે મૃત્યુ થયું હતું અને તેમને પણ બે સંતાનો હતા. પિતા પોતાના બંને સંતાનોને ઘરમાં જ પોતાની જાતે અભ્યાસ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસ બંને બાળકોને તેમજ પિતાને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હવે આવનારા દિવસોમાં પરિવારનો શું નિર્ણય આવે છે તેમજ હાઇકોર્ટ શું આદેશ કરે છે તે જોવું રહ્યું.
Published On - 4:59 pm, Fri, 19 January 24