
પડદાની નજીક અગરબત્તી પ્રગટાવવી નહીં. પડદાની નજીક હવા આવતી-જતી હોય તો અકસ્માત થવાની શક્યતા રહે છે. અગરબત્તીના કારણે પડદામાં આગ લાગી શકે છે. (Image Source | Unsplash)

લાકડાની વસ્તુ પર અગરબત્તી પ્રગટાવીને ક્યારેય રાખવી નહીં. અગરબત્તી પડી જવાથી લાકડાની વસ્તુમાં આગ લાગવાની શક્યતા હોય છે. (Image Source | Unsplash)

પ્રાણીની નજીક અગરબત્તી પ્રગટાવવાનું ટાળવું જોઈએ. અગરબત્તીનો ગરમ ભાગ અથવા ચટકો પ્રાણીઓને લાગી શકે છે. (Image Source | Unsplash)

પંખાની નીચે અગરબત્તી રાખવી નહીં. પંખાની હવાના કારણે અગરબત્તીની સળગતી રાખ અથવા ચિનગારી ઘરમાં ઉડી શકે છે. જેના કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે. (Image Source | Unsplash)

અગરબત્તી પૂજા સ્થળમાં સુરક્ષિત અને સ્થિર જગ્યાએ જ પ્રગટાવવી જોઈએ. તેને અગરબત્તી સ્ટેન્ડ, ધાતુની થાળી અથવા સિરામિકના હોલ્ડરમાં રાખવી, જેથી તે પડી ન જાય. અગરબત્તીને પડદા, કાગળ, લાકડું અને અન્ય જ્વલનશીલ વસ્તુઓથી દૂર રાખવી જોઈએ. (Image Source | Unsplash)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)
Published On - 10:04 am, Tue, 8 September 26