
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે 4-5 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવી-ચાવીને ખાવી અને પલાળેલુ પાણી પણ પી જવુ. આનાથી ઘણો ફાયદો થશે.

મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. ડિલિવરી પછી મહિલાઓને મેથી અને અજમાનોનો ઉકાળો આપવાથી પેટની અંદરનો ચેપ અને સોજો મટે છે.

આર્થરાઈટિસથી પીડિત લોકો હળદર, મેથી અને સૂકા આદુનો સમાન માત્રામાં પાવડર બનાવીને સવાર-સાંજ 1-1 ચમચી લે તો ફાયદો થાય છે.

જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળી રાખો અને તેને અંકુરિત કરો અને તેને રોજ ભોજન સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળશે.