
'ઓમેગા-3 ફેટી એસિડ' લોહીને પાતળું કરે છે. ટૂંકમાં, જે લોકોને લોહી ગંઠાઈ જવાની સમસ્યા હોય અથવા બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય તેમણે અખરોટ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે બ્લીડિંગ ડિસઓર્ડરનું જોખમ વધારી શકે છે.

આ સિવાય, જે લોકો ઓપરેશન કરાવવાના છે તેમણે ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા અખરોટ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. અખરોટ લોહીને પાતળું બનાવે છે, જેના કારણે સર્જરી દરમિયાન રક્તસ્રાવ વધુ થઈ શકે છે.

અખરોટ હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે પરંતુ સામે તેમાં કેલરી પણ વધારે હોય છે. જો તમે વેઇટ લોસ ડાયટ પર છો અને આડેધડ અખરોટ ખાઈ રહ્યા છો, તો વજન વધવાની શક્યતા વધી શકે છે.

અખરોટમાં હાજર ઑક્સલેટ્સ 'કિડની સ્ટોન' વધારી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે લોકોને પહેલાથી જ પથરીની સમસ્યા છે, તેમણે ડૉક્ટરની સલાહ લીધા વિના અખરોટ ન ખાવા જોઈએ.

આ ઉપરાંત વધુમાં નજર કરીએ તો, અખરોટ લોહીમાં સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે પરંતુ વધારે માત્રામાં ખાવાથી કેલરી ઓવરલોડ અને વજન વધવાથી સુગર લેવલ બગડી શકે છે.

અખરોટ લાભદાયક જરૂર છે પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને એલર્જી, પાચન સમસ્યા, બ્લીડિંગ ડિસઓર્ડર, કિડની સ્ટોન અથવા જેમણે સર્જરી કરાવી હોય તેમણે સાવધાની રાખવી જોઈએ.