
પોષક તત્ત્વોનો મહત્તમ લાભ - બદામને પલાળવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની જૈવ ઉપલબ્ધતા વધી જાય છે. વિટામિન E, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવા મહત્વપૂર્ણ તત્ત્વો શરીર દ્વારા વધુ સારી રીતે શોષાય છે, જેનાથી તમારા એકંદરે સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

વજન ઘટાડવામાં મદદ : બદામમાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું સારું સંતુલન છે. સવારે પલાળેલી બદામ ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેના કારણે તમે બિનજરૂરી નાસ્તો કરવાની જરુર પડતી નથી.

મગજના સ્વાસ્થ્ય માટે વરદાન: બદામને 'બ્રેન ફૂડ' કહેવામાં આવે છે કારણ કે તેમાં રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટાઇન જેવા મગજ માટે જરૂરી પોષક તત્ત્વો હોય છે. દરરોજ ખાવાથી તમારી યાદશક્તિ (Memory) અને એકાગ્રતા (Concentration) માં સુધારો થાય છે.

ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય : વિટામિન E અને એન્ટીઑકિસડન્ટ શરીરમાં કોષોને થતા નુકસાનને રોકે છે. નિયમિત સેવનથી તમારી ત્વચા વધુ મુલાયમ બને છે, સમય પહેલા વૃદ્ધત્વ અટકે છે અને વાળ પણ મજબૂત તથા સ્વસ્થ બને છે.