પાણી, ટામેટાં પછી હવે પાન ખાવા માટે તડપશે પાકિસ્તાન, લાખો રૂપિયાની ખોટ ખાઈ ખેડૂતોએ લીધો મક્કમ નિર્ણય

|

Feb 25, 2019 | 11:24 AM

પાકિસ્તાનને એક પછી એક વેપારી ધોરણે માર પડી રહ્યો છે. જેમાં વેપારીઓથી લઈને ખેડૂતો દ્વારા પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર ન કરવાનો નિર્ણય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે હવે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પાનની ખેતી કરતાં ખેડૂતોએ પાકિસ્તાનને પાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ગઢીમલહરા, મહારાજપુર, પિપટ, પનાગર […]

પાણી, ટામેટાં પછી હવે પાન ખાવા માટે તડપશે પાકિસ્તાન, લાખો રૂપિયાની ખોટ ખાઈ ખેડૂતોએ લીધો મક્કમ નિર્ણય

Follow us on

પાકિસ્તાનને એક પછી એક વેપારી ધોરણે માર પડી રહ્યો છે. જેમાં વેપારીઓથી લઈને ખેડૂતો દ્વારા પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર ન કરવાનો નિર્ણય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે હવે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પાનની ખેતી કરતાં ખેડૂતોએ પાકિસ્તાનને પાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ગઢીમલહરા, મહારાજપુર, પિપટ, પનાગર અને મહોબમાં પાનનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયા છે. જ્યાંથી દેશના ઘણાં શહેરોમાં પાનની સપ્લાઈ કરવામાં આવે છે તો ત્યાંથી જ પાકિસ્તાન, શ્રીલંકા અને અન્ય દેશોમાં પણ પાન મોકલવામાં આવે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનીઓ પણ હવે જાણે છે કે, આ મનમોહન નહીં પરંતુ મોદી સરકાર છે, ઇમરાન ખાન શું આ વાત સમજશે ?

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પાન ખેડૂતોનું કહેવું છે કે, પુલવામા હુમલાના કારણે અમારી અંદર પણ એક રોષ છે. જેના કારણે અમે પાકિસ્તાનમાં પાન મોકલીશું નહીં. ભલે તેના કારણે અમને ગમે તેટલું મોટું નુકસાન કેમ ન થાય. ખાસ વાત એ છેકે અઠવાડિયામાં 40 થી 50 બંડલ પાકિસ્તાન મોકલવામાં આવે છે. પાનના એક બંડલની કિંમત રૂ. 30 હજાર હોય છે. જેના કારણે ખેડૂતોને 13 થી 15 લાખનું નુકસાન પણ થશે.

TV9 Gujarati

 

ખેડૂતોનું માનવું છે કે, જો સરકાર પાણી ન મોકલવાનો નિર્ણય લઈ શકે છે તો અમે દેશના માટે આટલું તો કરી જ શકીએ છે. જેના માટે કોઇ નફા- નુકસાનનું મહત્વ રહેતું નથી. હાલમાં જ મધ્યપ્રદેશના ખેડૂતોએ પાકિસ્તાનમાં ટામેટાં ન મોકલવાનો નિર્ણય લીધો હતો. જેની અસર ત્યાંના બજારમાં જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ટામેટાંની માંગ વધતાં ભાવ વધારાની સાથે અછત પણ જોવા મળી રહી છે.

[yop_poll id=1798]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article