ખેડૂતોના પાકને ભારે નુકસાન કરતા જંગલી સુવરને મારવાની અપીલને કેન્દ્ર સરકારે ફગાવી

|

Nov 22, 2021 | 7:06 PM

આ સમગ્ર મામલે કેરળના વન મંત્રી એકે શશિન્દ્ર અનુસાર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આશ્વાસન આપ્યું છે કે મંત્રાલય આ પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય માર્ગો પર વિચાર કરશે. એકે શશિન્દ્રન સોમવારે રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા અને રાજ્યમાં જંગલ વિસ્તારોની નજીક આવેલા ગામડાઓમાં સુવરના વધતા જતા આતંકનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ખેડૂતોના પાકને ભારે નુકસાન કરતા જંગલી સુવરને મારવાની અપીલને કેન્દ્ર સરકારે ફગાવી
Symbolic Image

Follow us on

કેરળ (Kerala)ની પિનરાઈ વિજયન સરકારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય પાસે જંગલી સુવર (Wild Pig)ને હિંસક પ્રાણીઓ તરીકે જાહેર કરવાની પરવાનગી માંગી હતી. કેન્દ્ર સરકારે સોમવારે કેરળ સરકારની આ વિનંતીને ફગાવી દીધી હતી. કેન્દ્ર સરકારે કેરળ સરકાર (Kerala Government)ને કહ્યું કે લોકોને પ્રાણીઓને મારવાની છૂટ આપવાથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે.

 

આ સમગ્ર મામલે કેરળના વન મંત્રી એકે શશિન્દ્ર અનુસાર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આશ્વાસન આપ્યું છે કે મંત્રાલય આ પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય માર્ગો પર વિચાર કરશે. એકે શશિન્દ્રન સોમવારે રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા અને રાજ્યમાં જંગલ વિસ્તારોની નજીક આવેલા ગામડાઓમાં સુવરના વધતા જતા આતંકનો મુદ્દો ઉઠાવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જંગલી સુવર ખેડૂતોના પાકને નુકશાન કરી રહ્યા છે

કેરળના વન મંત્રીએ કહ્યું કે રાજ્યના ખેડૂત સમુદાયે સરકારને જંગલી સુવરને હિંસક પ્રાણીઓ તરીકે જાહેર કરવા વિનંતી કરી છે કારણ કે આ પ્રાણીઓ ખેડૂતોના ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતો (farmers)ને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની રોજીરોટી પર પણ માઠી અસર થઈ રહી છે.

 

કેરળના મંત્રી એકે સસેન્દ્રને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે આ માહિતી કેન્દ્રીય મંત્રીને આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે લોકોને પ્રાણીઓને મારવા દેવાથી ફાયદા કરતાં વધુ નુકસાન થશે. તેમણે આ સમસ્યાના ઉકેલ અને લોકોને મદદ કરવા માટે અન્ય વિકલ્પો પર વિચાર કરવાની ખાતરી આપી છે.

 

કેરળ હાઈકોર્ટે સુવરને મારવાની પરવાનગી આપી હતી

આપને જણાવી દઈએ કે આ વર્ષે જુલાઈ મહિનામાં કેરળ હાઈકોર્ટે રાજ્યના કેટલાક ખેડૂતોની ખેતીની જમીન વિસ્તારમાં ઉત્પાદન કરતા જંગલી સુવર(ભૂંડ)ને મારવાની મંજૂરી આપી હતી. કોર્ટે આ પરવાનગી એટલા માટે આપવી પડી હતી કારણ કે રાજ્ય સરકાર દ્વારા જંગલી સુવરનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાંની કોઈ ખાસ અસર થઈ નથી. રાજ્ય સરકારના તમામ પ્રયાસો છતાં જંગલી સુવર ખેડૂતોના પાકને બરબાદ કરી રહ્યા હતા.

 

આ પણ વાંચો: Afghanistan: તાલિબાનનું નવું ફરમાન, મહિલા એક્ટર્સવાળા શો બંધ કરે ટીવી ચેનલ, એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય

 

આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

Next Article