કોંગ્રેસના રાજમાં પદ્મભૂષણ વેચાતા હતા, FATF રિપોર્ટ પર ગાંધી પરિવાર મૌન કેમ ? અનુરાગ ઠાકુરે પ્રિયંકાને પૂછ્યું, આ ‘R’ કોણ છે ?

|

Mar 14, 2023 | 9:16 AM

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે લાખ્ખોના પેઇન્ટિંગ કેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પર ઘણા સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે કોંગ્રેસનું ભ્રષ્ટાચારનું મોડલ બધાની સામે આવી ગયું છે.

કોંગ્રેસના રાજમાં પદ્મભૂષણ વેચાતા હતા, FATF રિપોર્ટ પર ગાંધી પરિવાર મૌન  કેમ ? અનુરાગ ઠાકુરે પ્રિયંકાને પૂછ્યું, આ R કોણ છે ?

Follow us on

કેન્દ્રીય સુચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ફરી એકવાર કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર મોટો આરોપ લગાવ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, યસ બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂરને પ્રિયંકા ગાંધીની પેઇન્ટિંગ ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઠાકુરે કહ્યું છે કે, કોંગ્રેસનું ભ્રષ્ટાચાર મોડલ બહાર આવી ગયું છે. અનુરાગ ઠાકુરે પૂછ્યું કે FATF રિપોર્ટ ઉપર ગાંધી પરિવાર ચૂપ કેમ છે ?

અનુરાગ ઠાકુરે પ્રિયંકા ગાંધીને પૂછ્યું કે પેઇન્ટિંગ વેચવાની શું જરૂર હતી અને તેમાંથી આવેલા 2 કરોડ ક્યાં વાપરવામાં આવ્યા. આ ખરીદી વ્યવહારમાં ‘R’ કોણ છે? શું પદ્મ ભૂષણ એવોર્ડ માટે પેઈન્ટિંગ ખરીદવામાં આવી હતી? આવા કેટલા વધુ પુરસ્કારો અને ચિત્રો વેચાયા અને પૈસા ભેગા થયા? તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને વેચવાનો કોઈ મોકો છોડ્યો નથી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

તમને જણાવી દઈએ કે, જે પેઈન્ટિંગ પર ભાજપ, કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે, તે જાણીતા ચિત્રકાર એમએફ હુસૈન દ્વારા બનાવવામાં આવ્યું હતુ. યસ બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂરે પ્રિયંકા ગાંધી પાસેથી કેનવાસ પર બનેલી રાજીવ ગાંધીની તસવીર સાથેની આ પેઇન્ટિંગ રૂપિયા 2 કરોડમાં ખરીદ્યું હતુ.

રાણા કપૂરે કર્યો મોટો ખુલાસો

મળતી માહિતી મુજબ, રાણા કપૂરે પણ ઈડીની સામે આ પેઈન્ટિંગને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે તેને આ પેઇન્ટિંગ ખરીદવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, આ પેઇન્ટિંગના બદલામાં આપવામાં આવેલા 2 કરોડ રૂપિયાનો ઉપયોગ સોનિયા ગાંધીની સારવાર માટે કરવામાં આવ્યો હતો. ફેડરલ એન્ટી મની લોન્ડરિંગ એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાણાએ તેમના પર દબાણ કરનાર મંત્રીનું નામ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તત્કાલિન પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવરાએ તેમને કહ્યું હતું કે જો તેઓ આ પેઇન્ટિંગ નહીં ખરીદે તો ગાંધી પરિવાર સાથે સંબંધ બાંધવામાં મુશ્કેલી પડશે.

આ પછી, મુરલી દેવરાના પુત્ર મિલિંદ દેવરાએ 1 મે, 2010 ના રોજ રાણા કપૂરને એક પત્ર લખ્યો. આ પત્રમાં, તે રાણા કપૂરને કાકા તરીકે સંબોધે છે અને ખાતરી આપતા લખે છે કે આ પેઇન્ટિંગ ખરીદવુ ઉચિત છે. .

મળતી માહિતી મુજબ, તે વારંવાર તેને પેઇન્ટિંગ ખરીદવા માટે કહેવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ રાણાએ EDને એ પણ જણાવ્યું કે અહેમદ પટેલે તેમને કહ્યું હતું કે જો તેઓ ગાંધી પરિવારને મદદ કરે છે તો તેઓ તેમને પદ્મ ભૂષણ આપવા પર વિચાર કરી શકે છે.

Next Article