દિલ્લીમાં કોની પાસે કેટલી સત્તા ? બંધારણની કોપી સાથે લઈ જઈને એલજીને મળશે કેજરીવાલ

|

Jan 13, 2023 | 9:49 AM

દિલ્લીમાં હાલમાં સત્તાઓ અને અધિકારક્ષેત્રને લઈને મુખ્ય પ્રધાન અને એલજી વચ્ચે સાંઠમારી ચાલી રહી છે. સંબંધિત મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. ગુરુવારે જ આ મામલે સુનાવણી પણ થઈ હતી. આમ છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી.

દિલ્લીમાં કોની પાસે કેટલી સત્તા ? બંધારણની કોપી સાથે લઈ જઈને એલજીને મળશે કેજરીવાલ
Arvind Kejriwal

Follow us on

દિલ્લીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને એલજી વચ્ચેની મડાગાંઠ વચ્ચે આજે બંનેની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક આજે શુક્રવારે સાંજે 4 વાગ્યે યોજાશે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે કોની પાસે કેટલી સત્તા છે અને કોની પાસે શું સત્તા છે. આ માટે એલજીને મળવા જતી વખતે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમની સાથે બંધારણ અને સંબંધિત કાયદાઓની નકલ લઈને જશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્લીના હિતોને ધ્યાનમાં રાખીને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો એલજી અને મુખ્ય પ્રધાન વચ્ચે સત્તા અને અધિકારક્ષેત્ર અંગે સમજૂતી થશે તો ચોક્કસપણે દિલ્લીના વિકાસને વેગ મળશે. બંને પોતપોતાની મર્યાદામાં રહીને દિલ્લીનું સારું ભવિષ્ય બનાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયે આ સત્તાઓ અને અધિકારક્ષેત્રને લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને એલજી વચ્ચે સાંઠમારી ચાલી રહી છે. સંબંધિત મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. ગુરુવારે જ આ મામલે સુનાવણી પણ થઈ હતી. આમ છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. આવી સ્થિતિમાં જો મુખ્ય પ્રધાન અને એલજી પોતે જ આ મામલાને, પોતાની રીતે ઉકેલી લે તો દિલ્લીમાં વિકાસની ઝડપની સાથે સાથે સુપ્રીમ કોર્ટનો ઘણો સમય પણ બચી જશે.

એલજીને અધિકારક્ષેત્ર જણાવશે

મળતી માહિતી મુજબ, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પોતાની સાથે બંધારણ અને સંબંધિત કાયદાની નકલ લઈને મળવા જવાના છે. આ દરમિયાન તેઓ એલજીને તેમના મુખ્યપ્રધાન અને સરકારના વડા તરીકેના અધિકારક્ષેત્ર વિશે જણાવવાનો પ્રયાસ કરશે. તેમને દિલ્લીના વિકાસમાં સહયોગની અપીલ પણ કરશે. આમાં તેઓ એલજીને એ પણ સમજાવવાનો પ્રયાસ કરશે કે દિલ્લીના મુખ્ય પ્રધાન પાસે શું સત્તા છે અને એલજી પાસે કેટલી સત્તા અને અધિકારો છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

પરસ્પર સમજૂતી થશે તો મોટી રાહત થશે

મુખ્યપ્રધાન કેજરીવાલ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમયે જો મુખ્ય પ્રધાન કોઈ પ્રોજેક્ટ લાવવાનું વિચારે છે, તો એલજી રસ્તામાં આવી જાય છે. આવી સ્થિતિમાં, ઘણી યોજનાઓ શરૂ થાય તે પહેલા જ વિવાદોમાં ફસાઈ જાય છે. આનો ભોગ તો આખરે દિલ્લીને બનવું પડે છે. સત્તા અને અધિકાર બાબતે બંનેનો ઘણો સમય નિવેદનો અને ખુલાસો આપવામાં પસાર થાય છે. આવી સ્થિતિમાં, જો બંને વચ્ચે સત્તા અને અધિકારક્ષેત્રને લઈને સમજૂતી થાય છે, તો ચોક્કસપણે તેનો ફાયદો દિલ્લીને મળવાનો છે.

Next Article