
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ આફ્રિકાના કેટલાક દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા ઇબોલા વાયરસને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ દેશભરના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે.
IMA દ્વારા જાહેર કરાયેલા પત્ર મુજબ અત્યાર સુધીમાં 336થી વધુ શંકાસ્પદ કેસ અને 87 મૃત્યુ નોંધાયા છે. હાલમાં ચેપ મુખ્યત્વે કોંગો અને પડોશી દેશ યુગાન્ડા સુધી મર્યાદિત હોવાનું જણાવાયું છે.
ડોકટરોને મોકલાયેલી ચેતવણીમાં IMA એ જણાવ્યું છે કે આ વખતે ફેલાતો ઇબોલા વાયરસ “બુન્ડીબુગ્યો સ્ટ્રેન”નો છે. હાલમાં આ સ્ટ્રેન માટે કોઈ માન્ય રસી અથવા ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી.
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, લોકોની સતત હિલચાલ અને સંપર્ક ટ્રેસિંગમાં આવતી મુશ્કેલીઓને કારણે ચેપ નિયંત્રણ વધુ પડકારજનક બન્યું છે. ઇબોલામાં મૃત્યુદર પણ ખૂબ ઊંચો હોવાનું માનવામાં આવે છે.
IMA અનુસાર, ઇબોલા ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, શરીરના પ્રવાહી, ઉલટી અથવા દૂષિત વસ્તુઓના સંપર્કથી ફેલાય છે. અસુરક્ષિત અંતિમ સંસ્કાર પણ ચેપ ફેલાવાનું મોટું કારણ બની શકે છે.
જો કે, નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે ઇબોલા સામાન્ય પરિસ્થિતિઓમાં હવામાં ફેલાતો નથી અને COVID-19 જેટલી ઝડપથી સંક્રમિત થતો નથી.
ઇબોલાના શરૂઆતના લક્ષણોમાં નીચે મુજબની સમસ્યાઓ જોવા મળી શકે છે:
ચેપ વધ્યા બાદ દર્દીમાં નીચેના ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે:
IMA એ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને ચેપ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઇબોલા વાયરસને લઈ ગુજરાત સરકાર એલર્ટ, હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર, એરપોર્ટ સ્ક્રીનિંગ શરૂ