કોરોનાની ત્રીજી લહેર વચ્ચે WHOએ જણાવી 2 નવી દવા, જાણો કેટલી અસરકારક રહેશે

|

Jan 16, 2022 | 1:29 PM

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોવિડ-19ની સારવાર માટે બે નવી દવાઓની ભલામણ કરી છે. આ બે નવી દવાઓના નામ બેરીસીટીનીબ અને કેસિરીવીમાબ-ઇમડીવીમાબ છે.

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે WHOએ જણાવી 2 નવી દવા, જાણો કેટલી અસરકારક રહેશે
coronavirus medicine (Symbolic Photo)

Follow us on

ભારતમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર આવી ચુકી છે. જેને લઇને ભારતનું આરોગ્ય તંત્ર (Health system) પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે. આ વચ્ચે એક જર્નલમાં આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોરોનાના ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે કોર્ટીકોસ્ટેરોઇડ્સ સાથે બેરીસીટીનિબનો ઉપયોગ કરી શકાય છે. આ દવા સામાન્ય રીતે સંધિવાની સારવારમાં વપ્રાય છે.

ભારતમાં વધતા જતા કોરોનાના અને ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વચ્ચે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોવિડ-19ની સારવાર માટે બે નવી દવાઓની ભલામણ કરી છે. આ બે નવી દવાઓના નામ બેરીસીટીનીબ અને કેસિરીવીમાબ-ઇમડીવીમાબ છે. એક સમીક્ષા જર્નલમાં આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે કોર્ટીકોસ્ટેરોઈડ્સ સાથે બેરીસીટીનિબનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આ દવા સંધિવાની સારવારમાં વપરાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વેન્ટિલેટરની જરૂરિયાત ઘટાડે છે આ દવા

એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાના રોગમાં આ દવા વેન્ટિલેટરની જરૂરિયાત ઘટાડે છે અને કોઈપણ આડઅસર વિના દર્દીના જીવનના જોખમને ઘટાડી શકે છે. તેની અસર સંધિવા માટેની અન્ય દવા, ઇન્ટરલ્યુકિન-6 (IL-6) જેવી જ છે. જો તમારી પાસે બંને દવાઓનો વિકલ્પ હોય, તો કિંમત, ઉપલબ્ધતા અને ક્લિનિશિયનના અનુભવના આધારે દવા ખરીદી શકાય છે, જો કે બંને દવાઓ એક જ સમયે લેવાની ભૂલ ન કરવી

WHOએ ગાઇડલાઇન અપડેટમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને મોનોક્લોનલ એન્ટિબોડી સોટ્રોવિમાબનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે. તે ઓછા ગંભીર ચેપ ધરાવતા દર્દીઓને આપી શકાય છે. WHOએ અન્ય મોનોક્લોનલ એન્ટિબોડી દવા, કેસિરીવિમાબ-ઇમડિવિમાબ માટે પણ સમાન ભલામણ કરી છે.

હાલ સારવારની ભલામણ કરવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી

WHO દ્વારા જાહેર કરેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોનોક્લોનલ એન્ટિબોડી સારવારની ભલામણ કરવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી અને આરોગ્ય સંસ્થાએ પણ સ્વીકાર્યું છે કે ઓમિક્રોન જેવા નવા પ્રકારો સામે તેની અસરકારકતા હાલમાં જાણીતી નથી. મોનોક્લોનલ એન્ટિબોડીઝનો પૂરતો ડેટા પ્રાપ્ત થતાં જ તેની માર્ગદર્શિકા અપડેટ કરવામાં આવશે.

સાત ટ્રાયલમાં મળેલા પુરાવા પર આધારિત છે ભલામણ

WHOની આ ભલામણો 4,000 સામાન્ય, ઓછા ગંભીર અને વધુ ગંભીર સંક્રમિત દર્દીઓ પર સાત ટ્રાયલમાં મળેલા પુરાવા પર આધારિત છે. આ તમામ દર્દીઓ મેજિક એવિડન્સ ઇકોસિસ્ટમ ફાઉન્ડેશનના મેથોડોલોજિકલ સપોર્ટના સહયોગથી WHO દ્વારા વિકસિત જીવન માર્ગદર્શિકાનો ભાગ છે. જેથી કરીને કોવિડ-19 મેનેજમેન્ટ માટે વિશ્વસનીય માર્ગદર્શિકા આપી શકાય અને દર્દીઓની સારવાર કરતા ડોકટરો પણ વધુ સારા નિર્ણયો લઈ શકે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Data Point: તમામ રાજ્યોમાં ઓમિક્રોનનો વધારો, ડેટાના આધારે જાણો કયા ત્રણ રાજ્ય નોંધાવે છે દેશના અડધાથી વધુ કેસ

આ પણ વાંચો-

જો દેશમાં આ લોકોને થાય કોરોના તો સ્થિતિ બની શકે છે ગંભીર, મૃત્યુનું જોખમ પણ છે વધારે

Next Article