West Bengal: બંગાળમાં ફરી હંગામો, TMC નેતાની હત્યા બાદ 40 ઘરો સળગાવામાં આવ્યા, 10 લોકોનો મોત

|

Mar 22, 2022 | 8:32 PM

પોલીસે જણાવ્યું કે બરશાલ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખનો મૃતદેહ સોમવારે આ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસ આ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.

West Bengal: બંગાળમાં ફરી હંગામો, TMC નેતાની હત્યા બાદ 40 ઘરો સળગાવામાં આવ્યા, 10 લોકોનો મોત
West Bengal Fire

Follow us on

બંગાળમાં (West Bengal) ફરી હંગામો થયો છે. તૃણમૂલ કોંગ્રેસના (TMC) વડાની હત્યા પછી, કેટલાક લોકોએ ગઈકાલે રાત્રે બીરભૂમના રામપુરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બોગતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી. આગમાં દાઝી જવાથી 10 લોકોના મોત થયા હતા. અન્ય 38 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. આગની આ ઘટનામાં 40 ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે રામપુરહાટ શહેરની બહારના બોગાતુઈ ગામમાં ઘરોમાંથી અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે.

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જો કે દાવો કર્યો છે કે ઘટનાસ્થળેથી 10 બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બરશાલ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખનો મૃતદેહ સોમવારે આ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસ આ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

મમતાના મંત્રીઓ સ્થળ પર રવાના થયા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્દેશ પર મંત્રી ફિરહાદ હકીમની આગેવાનીમાં ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ રામપુરહાટ હત્યાકાંડની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઘટનાસ્થળે જશે. મામલાની ગંભીરતાને જોતા સીઆઈડીની ટીમ સીએમ ઓફિસની સૂચના પર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની SIT ટીમની રચના કરવામાં આવી છે.

રામપુરહાટમાં તૃણમૂલ નેતાની હત્યા પછી, ટોળાએ કથિત રીતે ઘરોને આગ લગાડ્યા પછી ઘણા લોકોના મોત થયા, ફાયર બ્રિગેડ ઓફિસર, બીરભૂમનું કહેવું છે કે આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી. ત્યાં 10-12 ઘરો બળી ગયા છે, કુલ 10 લોકોના મોત થયા છે જેમના મૃતદેહ મળી આવ્યા છે. એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.

બંગાળ વિધાનસભામાં હંગામો

બીરભૂમના રામપુરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બોગતુઈ ગામમાં બનેલી ઘટનાને લઈને વિપક્ષે બંગાળ વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો. ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને આ મામલે જવાબ માંગ્યો.

આ પણ વાંચો : નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું- ભારતના રસ્તા અમેરિકા જેવા હશે, દિલ્હીથી મુંબઈની મુસાફરી 12 કલાકમાં પૂર્ણ થશે

આ પણ વાંચો : Jammu Kashmir: મહેબૂબા મુફ્તીએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને લઈ ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું- તે ઘણા પાકિસ્તાન બનાવવા માંગે છે

Next Article