Uttarakhand: નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટ્યું, કેટલાક કાટમાળમાં દટાયા; તંત્રે હાથ ધરી બચાવ રાહત કામગીરી

|

Oct 19, 2021 | 12:25 PM

Uttarakhand Cloudburst ઉત્તરાખંડના અનેક જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ વરસ્યો છે. નૈનીતાલ તળાવ ઓવરફ્લો થવાને કારણે નૈનીતાલના રસ્તાઓ છલકાઈ ગયા છે. ઈમારતો અને મકાનોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.

Uttarakhand: નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટ્યું, કેટલાક કાટમાળમાં દટાયા; તંત્રે હાથ ધરી બચાવ રાહત કામગીરી
Uttarakhand Cloudburst

Follow us on

Cloudburst Nainital Ramgarh: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું કે નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં જ્યાં વાદળ ફાટ્યું હતું તે સ્થળેથી કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે, કાટમાળ નીચે દટાયેલા લોકોની વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. તો બીજી બાજુ, નૈનીતાલ તળાવ ઓવરફ્લો થવાને કારણે, નૈનીતાલના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા છે. નૈનીતાલની ઈમારતો અને મકાનોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગંગાનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર 
છેલ્લા બે દિવસથી પર્વતીય વિસ્તારમાં વરસી રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર ભયના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. ગંગા 294 મીટરના ભય ચિહ્નથી 0.35 મીટર ઉપર 294.35 મીટર પર વહી રહી છે. ગંગાની વધતી જળ સપાટીને કારણે હરિદ્વારમાં ગંગા નદીકાંઠાને અડીને આવેલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે

આ પણ વાંચોઃ

ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા અટકી, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા

 

 

Next Article