Uttarakhand: નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટ્યું, કેટલાક કાટમાળમાં દટાયા; તંત્રે હાથ ધરી બચાવ રાહત કામગીરી

Uttarakhand Cloudburst ઉત્તરાખંડના અનેક જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ વરસ્યો છે. નૈનીતાલ તળાવ ઓવરફ્લો થવાને કારણે નૈનીતાલના રસ્તાઓ છલકાઈ ગયા છે. ઈમારતો અને મકાનોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.

Uttarakhand: નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટ્યું, કેટલાક કાટમાળમાં દટાયા; તંત્રે હાથ ધરી બચાવ રાહત કામગીરી
Uttarakhand Cloudburst
| Edited By: | Updated on: Oct 19, 2021 | 12:25 PM

Cloudburst Nainital Ramgarh: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું કે નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં જ્યાં વાદળ ફાટ્યું હતું તે સ્થળેથી કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે, કાટમાળ નીચે દટાયેલા લોકોની વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. તો બીજી બાજુ, નૈનીતાલ તળાવ ઓવરફ્લો થવાને કારણે, નૈનીતાલના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા છે. નૈનીતાલની ઈમારતો અને મકાનોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.

ગંગાનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર 
છેલ્લા બે દિવસથી પર્વતીય વિસ્તારમાં વરસી રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર ભયના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. ગંગા 294 મીટરના ભય ચિહ્નથી 0.35 મીટર ઉપર 294.35 મીટર પર વહી રહી છે. ગંગાની વધતી જળ સપાટીને કારણે હરિદ્વારમાં ગંગા નદીકાંઠાને અડીને આવેલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે

આ પણ વાંચોઃ

ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા અટકી, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા