ભગવાન ભોળાનાથના ધામ કેદારનાથમાં સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ. કેદારનાથ ધામની સાથે જ સમગ્ર ગંગા ઘાટીમાં અડધો ફૂટ જેટલી હિમવર્ષા થઈ. નવા વરસે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો. આ હિમવર્ષામાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવત […]
Follow us on
ભગવાન ભોળાનાથના ધામ કેદારનાથમાં સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ. કેદારનાથ ધામની સાથે જ સમગ્ર ગંગા ઘાટીમાં અડધો ફૂટ જેટલી હિમવર્ષા થઈ. નવા વરસે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો. આ હિમવર્ષામાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવત પણ ફસાઈ ગયા હતા.