
અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના નેતા જોહરાન મમદાનીએ ન્યૂયોર્કના મેયર પદના શપથ લઈ લીધા છે. શપથ લીધા બાદ તેમણે ભારતની જેલમાં બંધ એક્ટિવિસ્ટ ઉમર ખાલિદને લખેલો પત્ર ઘણો ચર્ચામાં આવ્યા છે. જોહરાન મમદાનીએ UAPA હેઠળ 2020માં જેલમાં બંધ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ સાથે એકજુટ્તા દર્શાવી છે. અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ જિમ મૈકગવર્ન અને જેમી રસ્કિન સહિત અનેક મોટા નેતાઓએ પણ ઉમર ખાલિદના સમર્થનમાં અપીલ કરી છે. ઉમર ખાલિદની પાર્ટનર બનજ્યોત્સના લાહિડીએ X પર મમદાનીના નોટને શેર કરી છે. જો કે તેના પર તારીખ લખેલી નથી. જે બાદ હવે ભારતમાં તેના રિએક્શન આવવાના શરૂ થઈ ગયા છે. જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ દિલ્હીમાં દંગા ભડકાવવાના આરોપમાં છેલ્લા 5 વર્ષથી જેલમાં છે. મમદાનીના મેયર પદના શપથ લીધાના તુરંત બાદ ઉમર ખાલિદને લખેલા પત્રએ ભારતમાં એક મોટા વર્ગનું ધ્યાન ખેંચ્યુ છે. અનેક લોકોએ મમદાનીના આ ક્રિયા પર આપત્તિ દર્શાવી છે. મમદાનીએ પત્રમાં શું લખ્યુ ઉમર ખાલિદની પાર્ટનર બાનોજ્યત્સના લાહિડીએ X પર શેર કરેલા તારીખ...
Published On - 8:53 pm, Fri, 2 January 26