જેલરે કપડા ફાડ્યા, સ્તન કાપી નાખ્યા, ચામડી ચીરી નાખી પરંતુ હરફ સુદ્ધા ન ઉચ્ચાર્યો, ભારતની આ મહિલા જાસુસે દેશ માટે સહન કરી દર્દની પરાકાષ્ટા

નીરા એક એવી સાહસિક વિરાંગના હતી, કે તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જીવ બચાવવા માટે તેમના પતિનો જીવ લઈ લીધો. જે બાદ તેને અંદામાનની જેલમાં કાળા પાણી સજા સહન કરવી પડી. જેલમાં તેના પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો. જે સાંભળીને પણ બે ઘડી કમકમાટી છૂટી જાય એ ત્રાસ નીરા મુંગા મોં સહન કરી ગઈ. પરંતુ જ્યારે દેશ આઝાદ થયો આ વીરાંગનાને કોઈ સન્માન ન અપાયુ. અત્યંત ગરીબીમાં અને ગુમનામીમાં તેમને જીવવુ પડ્યુ. આજે આપણે ભારતની આવી જ પહેલી મહિલા સાહસી જાસૂસ વિશે જણાવશુ. જેમણે દેશ માટે દર્દની પરાકાષ્ઠા સહન કરી પરંતુ નહેરુની સરકારે તેને એ સન્માન ન આપ્યુ જેના તેઓ ખરા હકદાર હતા.

જેલરે કપડા ફાડ્યા, સ્તન કાપી નાખ્યા, ચામડી ચીરી નાખી પરંતુ હરફ સુદ્ધા ન ઉચ્ચાર્યો, ભારતની આ મહિલા જાસુસે દેશ માટે સહન કરી દર્દની પરાકાષ્ટા
| Updated on: Jul 31, 2025 | 9:48 PM

નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ કરનારા એક એવા નેતા હતા, જેમની સેનામાં મહિલાઓ પણ ઉત્સાહથી જોડાઈ હતી. તેમાથી જ એક નામ નીરા આર્યાનું પણ હતુ. આઝાદ હિંદ ફૌઝની એક એવી મહિલા જાસૂસ જેમણે જેલમાં અંગ્રેજોની ભયાનક યાતના સહી હતી. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌઝની વાત આવે છે તો અવારનવાર પુરુષ નેતાઓની સાથે એવી મહિલા વિરાંગનાઓના નામ પણ લેવામાં આવે છે જેમણે ન માત્ર બંદુકો ઉઠાવી પરંતુ જાસુસી મિશન કરવા માટે અંગ્રેજોની ઊંઘ પણ હરામ કરી દીધી. 5 માર્ચ 1902 માં ઉત્તર પ્રદેશના એક પ્રતિષ્ઠિત વેપારી પરિવારમાં જન્મેલી નીરા આર્યાના લગ્ન એક બ્રિટીશ વફાદાર પોલીસ અધિકારી શ્રીકાંત જયસ્વાલ સાથે થયા હતા. શ્રીકાંત નેતાજી સુભાષચંદ્ર બોઝ વિરુદ્ધ કામ કરી રહ્યો હતો. પરંતુ નીરાના મનમાં દેશભક્તિની જે મશાલ હતી તેણે પતિની વિરુદ્ધ જઈને પણ આઝાદીની લડાઈ લડવા માટેની પ્રેરક શક્તિ પ્રદાન કરી. CID ઈન્સપેક્ટર સાથે લગ્ન નીરા આર્યાના લગ્ન CID ઈન્સપેક્ટર જયરંજન દાસ સાથે થયા હતા. પરંતુ બંનેમાં જમીન આસમાનનું અંતર હતુ....

Published On - 5:17 pm, Thu, 31 July 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us