દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ અનેક લોકો હાલના સમયમાં પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે. જો આ બધા વચ્ચે કેન્દ્રીય પ્રધાન Smriti Irani એ એવા બાળકો માટે એક પહેલ શરૂ કરી છે જેમણે કોરોના વાયરસના કહેરમાં તેમના માતાપિતા ગુમાવી દીધા છે. Smriti Iraniએ એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે જો તમને કોઈ એવા બાળક વિશે જાણ થાય કે જેના માતાપિતા કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા છે અને તેમની સંભાળ લેવા માટે કોઈ નથી, તો તમારા જિલ્લાના પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરો . ચાઇલ્ડ લાઇન 1098 પર પણ સંપર્ક કરો. આ તમારી કાનૂની જવાબદારી છે.
*IMPORTANT Thread*
If you come to know of any child who has lost both parents to COVID and has no one to take care of her/him, inform Police or Child Welfare Committee of your district or contact Childline 1098. It is your legal responsibility.
— Smriti Z Irani (@smritiirani) May 4, 2021
Smriti Irani એ એમ પણ કહ્યું કે અનાથ બાળકને કોઈને આપવું ગેરકાયદે છે. તમે તેને કાયદેસર રીતે અપનાવી શકો છો. આવા બાળકોને બાળ કલ્યાણ સમિતિમાં લઈ જવું જોઈએ, જે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરશે. તેમણે અપીલ કરી કે જો કોઈ તમારી પાસે સીધી રીતે કોઇ દત્તક લઇ શકાય તેવા અનાથ બાળક અંગે જાણવા માંગે છે તો તેની જાળમાં ન ફસાતા તેને રોકો. તે ગેરકાયદે છે.
It is illegal to give or take orphan children of any one else in adoption. Such children should be taken to Child welfare committee, which will take necessary action in the best interest of the child.
— Smriti Z Irani (@smritiirani) May 4, 2021
તેમણે કહ્યું કે આપણે બધાએ કાનૂની રીતે કોઇને દત્તક લેવા જોઈએ. નહીં તો દત્તક લેવાના નામે બાળકોની હેરાફેરી થઈ શકે છે. તેમને બચાવવા આપણી ફરજ છે. જો તમને આવા કોઈપણ વિષય વિશેની માહિતી મળે તો તમારે તાત્કાલિક પોલીસ અથવા બાળ કલ્યાણ અથવા ચાઇલ્ડ લાઇનને જાણ કરવી જોઈએ. તેમણે અપીલ પણ કરી હતી કે કૃપા કરીને સોશિયલ મીડિયા પર કટોકટીની સ્થિતિમાં નબળા બાળકોની તસવીરો અને સંપર્ક વિગતો શેર કરશો નહીં. તેમની ઓળખ કાયદા અનુસાર સુરક્ષિત રાખવી જોઇએ.
Published On - 9:59 pm, Tue, 4 May 21