કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી થયા કોરોના પોઝિટિવ, પોતાને કર્યા આઈસોલેટ, બીજેપીના ઘણા નેતાઓને પણ સંક્રમણ

માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે મેં તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરીને મારી જાતને અલગ કરી છે અને હું હોમ ક્વોરેન્ટાઇનમાં છું.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી થયા કોરોના પોઝિટિવ, પોતાને કર્યા આઈસોલેટ, બીજેપીના ઘણા નેતાઓને પણ સંક્રમણ
| Edited By: | Updated on: Jan 12, 2022 | 7:17 AM

માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેઓએ લખ્યું કોરોનાનાં હળવા લક્ષણો આવ્યા પછી, મેં કોરોના ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને, મેં મારી જાતને અલગ કરી દીધી છે અને હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. તેણે લખ્યું કે હું એવા તમામ લોકોને વિનંતી કરું છું કે જેઓ તાજેતરના સમયમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને અલગ રાખે અને તેમની તપાસ કરાવે. 

છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. આ વિશે માહિતી આપતા તેણે કહ્યું છે કે તેનામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. 

 

જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ કોરોના પોઝિટિવ છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ટ્વીટમાં તેણે કહ્યું હતું કે શરૂઆતના લક્ષણો જોતાં જ મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હવે સ્વસ્થ અનુભવું છું. ડોક્ટરોની સલાહ પર મેં મારી જાતને અલગ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમની તપાસ કરાવવા વિનંતી છે. 

કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ પણ કોરોનાથી સંક્રમિત છે

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પહેલા કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે, ત્યારબાદ તેમણે પોતાને ઘરે આઈસોલેટ કરી લીધા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેને કોરોનાના હળવા લક્ષણો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને તેના જ ઘરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા ભારત ભૂષણ બાબુએ જણાવ્યું કે આર્મી હોસ્પિટલના ડોકટરોની ટીમે રાજનાથ સિંહનું સ્વાસ્થ્ય તપાસ્યું. રક્ષા મંત્રીએ સોમવારે કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે કહ્યું હતું કે તેને કોવિડ -19 ના ‘હળવા લક્ષણો’ છે અને તે તેના ઘરે અલગ છે.

 

આ પણ વાંચો-કોરોના સંક્રમિત દર્દીઓને સ્પેશિયાલિસ્ટ તબીબોની મદદ મળે તે માટે ભાજપ ડોક્ટર સેલે કરી કોવિડ ટાસ્કફોર્સની રચના

આ પણ વાંચો-પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે, કેન્દ્ર અને પંજાબની તપાસ પર પ્રતિબંધ

Follow Us