Tripura CM Manik Saha: બિપ્લબ દેબના રાજીનામા બાદ ડો. માણિક સાહા ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બન્યા

બિપ્લબ કુમાર દેબે (Biplab Kumar Deb) શનિવારે બપોરે રાજીનામું આપ્યું હતું. આ પછી નવા મુખ્યમંત્રીની ચૂંટણી માટે ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં માણિક સાહાના નામ પર મહોર લગાવવામાં આવી હતી.

Tripura CM Manik Saha: બિપ્લબ દેબના રાજીનામા બાદ ડો. માણિક સાહા ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બન્યા
Manik Saha - New Chief Minister Of Tripura
| Edited By: | Updated on: May 14, 2022 | 7:59 PM

ભાજપના ત્રિપુરાના (Tripura) વડા અને રાજ્યસભાના સાંસદ ડૉ. માણિક સાહાને ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. બિપ્લબ કુમાર દેબે (Biplab Kumar Deb) શનિવારે બપોરે રાજીનામું આપ્યું હતું. આ પછી નવા મુખ્યમંત્રીની ચૂંટણી માટે ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં માણિક સાહાના નામ પર મહોર લગાવવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે બિપ્લબ કુમાર દેબને ભાજપની ત્રિપુરા વિંગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. નવેમ્બર 2021માં યોજાયેલી ચૂંટણીમાં ત્રિપુરાની તમામ 13 નગરપાલિકાઓમાં ભાજપની જીતનો શ્રેય માણિક સાહાને આપવામાં આવ્યો હતો. તેમને એવા સમયે ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે રાજ્યમાં એક વર્ષથી ઓછા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

અત્રે નોંધનીય છે કે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી માણિક સાહા કોંગ્રેસના રાજ્યમાં મોટા નેતા હતા. 2016માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ પછી ભાજપે તેમની મહેનત અને સમર્પણ જોયું અને ચાર વર્ષમાં 2020માં ત્રિપુરા ભાજપ પાંખના અધ્યક્ષ બનાવ્યા. માણિક સાહા વ્યવસાયે ડેન્ટિસ્ટ પણ છે. તેમની કુશળ વ્યૂહરચના દ્વારા, તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી મ્યુનિસિપલ સંસ્થાઓમાં ભાજપને જીત અપાવી. તેઓ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપની સરકાર જાળવી રાખવા માટે પાર્ટીની લડાઈનું નેતૃત્વ કરશે.

બિપ્લબ દેબે માણિક સાહાને અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય મંત્રી અને ત્રિપુરામાં ભાજપના નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવે ટ્વીટ કરીને માણિક સાહાને નવા મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, ત્રિપુરા બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ડૉ. માણિક સાહાજીને ખૂબ ખૂબ અભિનંદન. મને પૂરો વિશ્વાસ છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને તમારા નેતૃત્વમાં ત્રિપુરા વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચશે.

બિપ્લબ દેબે પણ માણિક સાહાને બીજેપી વિધાયક દળના નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, માણિક સાહાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ. મને ખાતરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને નેતૃત્વમાં ત્રિપુરા સમૃદ્ધ થશે.

બિપ્લબ દેબે રાજીનામું આપ્યું

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે શનિવારે કહ્યું કે તેમણે રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. અહીં રાજભવનમાં રાજ્યપાલને મળ્યા બાદ દેબે આ જાહેરાત કરી હતી. દેબે પત્રકારોને કહ્યું કે, પાર્ટી ટોચ પર છે. હું ભાજપનો વફાદાર કાર્યકર છું. હું આશા રાખું છું કે મેં આપેલી જવાબદારી સાથે ન્યાય કર્યો છે, પછી તે રાજ્ય બીજેપી એકમના અધ્યક્ષનું પદ હોય કે ત્રિપુરાના મુખ્યમંત્રીનું પદ હોય. મેં ત્રિપુરાના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું અને સુનિશ્ચિત કર્યું કે રાજ્યના લોકો માટે શાંતિ છે.

Published On - 7:59 pm, Sat, 14 May 22