મહાગઠબંધન અને વિપક્ષને લાગ્યો મોટો ઝટકો, તેજ બહાદુરની છેલ્લી આશા પણ રહી અધૂરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નહિં લડી શકે ચૂંટણી

|

May 09, 2019 | 12:11 PM

વારાણસીથી નરેન્દ્ર મોદીની સામે પડકાર ફેંકવાના ઈરાદા પર સુપ્રીમ કોર્ટે પાણી ફેરવી દીધું છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે સુનાવણી કરતા કહ્યું કે આ મુદ્દો તેમના અધિકારક્ષેત્રમાં જ આવતો નથી. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને BSF ના બરતરફ કરેલા જવાન તેજ બહાદુરની અરજી પર આજે ફરી સુનાવણી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે નામાંકન રદ્દ કરવાની અરજી પર કહ્યુ […]

મહાગઠબંધન અને વિપક્ષને લાગ્યો મોટો ઝટકો, તેજ બહાદુરની છેલ્લી આશા પણ રહી અધૂરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નહિં લડી શકે ચૂંટણી

Follow us on

વારાણસીથી નરેન્દ્ર મોદીની સામે પડકાર ફેંકવાના ઈરાદા પર સુપ્રીમ કોર્ટે પાણી ફેરવી દીધું છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે સુનાવણી કરતા કહ્યું કે આ મુદ્દો તેમના અધિકારક્ષેત્રમાં જ આવતો નથી.

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને BSF ના બરતરફ કરેલા જવાન તેજ બહાદુરની અરજી પર આજે ફરી સુનાવણી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે નામાંકન રદ્દ કરવાની અરજી પર કહ્યુ કે તેમની  અરજીમાં કોઇ મૈરિટ નથી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપવાની યોજના પર મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે.

 

TV9 Gujarati

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પહેલા સુપ્રીમ કોર્ટે બુધવારે તેજ બહાદુરની અરજી પર સુનાવણી કરતા ચૂંટણી કમિશનને આદેશ આપ્યો હતો કે તેજ બહાદુરની ફરીયાદની તપાસ કરવામાં આવે અને ગુરૂવાર સુધીમાં તેનો જવાબ આપવામાં આવે. ચૂંટણી કમિશન તરફથી રાકેશ દ્વિવેદીએ આરપી એક્ટ સહિત જુના નિર્ણયોના હવાલા આપ્યા અને સાથે ચૂંટણી કમિશને વારાણસીના ચૂંટણી અધિકારીના નિર્ણયને પણ માન્ય રાખ્યો. સુપ્રીમ કોર્ટમાં તેજ બહાદુરના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી કે તેજ બહાદુરને ક્યા કારણથી બરખાસ્ત કરવામા આવ્યો તે અંગેના સર્ટિફિકેટ લાવવા માટે પણ યોગ્ય સમય આપવામાં આવ્યો નથી.

તેજ બહાદુરના વકીલે દલીલ કરી કે અમે 19 મેના રોજ થનારી ચૂંટણીને રોકવા માગતા નથી. અમે ફક્ત એ કહેવા માગીએ છે કે તેજ બહાદુરનું ફોર્મ ખોટી રીતે રદ કરી દેવાયું છે. તેમને સેનામાંથી કેવી રીતે નીકાળી દેવાયા તે અંગેના સર્ટિફિકેટ લેવા માટે પણ યોગ્ય સમય આપવામાં આવ્યો નથી. આમ આ સરકાર તરફી નિર્ણય છે અને તેજ બહાદુરની સાથે આ ન થવું જોઈએ. તેને 19મેના રોજ ચૂંટણી લડવાની પરવાનગી આપવી જોઈએ.

આ પણ વાંચો: ગુજરાતના એક ગામના લોકોએ બચાવી વરરાજાની અનોખી રીતથી ‘ઈજ્જત’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:40 am, Thu, 9 May 19

Next Article