નાણામંત્રી 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે કરશે બેઠક, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કરી શકે છે આ વાત

|

Apr 10, 2022 | 3:45 PM

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ધિરાણકર્તાઓની કામગીરીની સમીક્ષા કરવા અને અર્થતંત્રના પુનરુત્થાન માટે સરકારી યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવા 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ના વડાઓ સાથે બેઠક કરશે.

નાણામંત્રી 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે કરશે બેઠક, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કરી શકે છે આ વાત
Nirmala Sitharaman (ફાઈલ ફોટો)

Follow us on

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ધિરાણકર્તાઓની કામગીરીની સમીક્ષા કરવા અને અર્થતંત્રના પુનરુત્થાન માટે સરકારી યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવા 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ના વડાઓ સાથે બેઠક કરશે. નાણાકીય વર્ષ 2022-23નું બજેટ (Budget 2022) રજૂ કર્યા પછી PSBના વડાઓ સાથે નાણામંત્રીની આ પ્રથમ બેઠક હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સરકાર બેન્કોને અર્થતંત્રની ગતિને ઝડપી બનાવવા ઉત્પાદક ક્ષેત્રોને ધિરાણ ફાળવણી વધારવા માટે કહી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં વિવિધ સરકારી યોજનાઓની પ્રગતિ અને વિવિધ આર્થિક ક્ષેત્રોની કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) પણ સમીક્ષા હેઠળ હશે.

આ વર્ષના બજેટમાં ECLGSને માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે આ યોજના હેઠળ આપવામાં આવતી ગેરંટી કવરને પણ 50,000 કરોડ રૂપિયા વધારીને 5 લાખ કરોડ રૂપિયા કરી દીધું છે. આતિથ્ય, પ્રવાસ, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોને પણ આ યોજનાના દાયરામાં લાવવામાં આવ્યા છે. ઉપરાંત, લાયક ઉધાર લેનારાઓ માટેની ક્રેડિટ મર્યાદા તેમના ફંડ-આધારિત ક્રેડિટ બાકીના 40 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી હતી. ઉન્નત મર્યાદા ઉધાર લેનાર દીઠ મહત્તમ રૂ. 200 કરોડને આધીન છે.

જાહેર ક્ષેત્રની બેંકોના ચોખ્ખા નફામાં વધારો થયો છે

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં આખા વર્ષ માટે બેન્કિંગ સેક્ટરનો એજન્ડા નક્કી થઈ શકે છે. પાછલા નાણાકીય વર્ષમાં, એપ્રિલ-ડિસેમ્બર 2021 દરમિયાન જાહેર ક્ષેત્રની કોઈપણ બેંકને નુકસાન થયું ન હતું અને PSBs એ આ નવ મહિનામાં 48,874 કરોડ રૂપિયાનો સામૂહિક ચોખ્ખો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ 2020-21માં 31,820 કરોડ રૂપિયાનો સામૂહિક ચોખ્ખો નફો મેળવ્યો હતો. પરંતુ તેના પહેલા સતત પાંચ વર્ષમાં આ બેંકોએ સામૂહિક રીતે ખોટ સહન કરવી પડી હતી. વર્ષ 2017-18માં સૌથી વધુ 85,370 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ પણ વાંચો: Recruitment 2022: બેંક ઓફ બરોડામાં 100 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ

આ પણ વાંચો: World Squash: દીપિકા પલ્લીકલે જોડિયા બાળકોની માતા બન્યા બાદ કોર્ટમાં પરત ફરતા જ કર્યો કમાલ, બે ગોલ્ડ મેડલ જીતી ભારતનુ વધાર્યુ ગૌરવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article