દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકીઓનું ‘ટેરર-ગેંગસ્ટર નેટવર્ક હિઝબુલ મુજાહિદ્દીન કનેક્શન ! શંકાસ્પદ લોકોએ કહ્યું ટાર્ગેટ શું હતું

|

Jan 18, 2023 | 11:19 AM

દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ શંકાસ્પદ નૌશાદનો હેન્ડલર હૈદર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો ખાસ પ્યાદો હતો. નૌશાદ પાકિસ્તાનમાં બેઠેલા હૈદરના સંપર્કમાં હતા. નૌશાદે હૈદરના કહેવા પર પ્લાનિંગ કર્યું હતું

દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકીઓનું ‘ટેરર-ગેંગસ્ટર નેટવર્ક હિઝબુલ મુજાહિદ્દીન કનેક્શન ! શંકાસ્પદ લોકોએ કહ્યું ટાર્ગેટ શું હતું
Delhi Police Headquarter (File)

Follow us on

દિલ્હીથી ઝડપાયેલા બંને શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા થયા છે. દિલ્હી પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નૌશાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સંપર્કમાં પણ હતો. બંને શકમંદ પાકિસ્તાનમાં બેઠેલા તેમના ચાર હેન્ડલરના સંપર્કમાં હતા. બંને ભારતમાં ટેરર-ગેંગસ્ટર નેટવર્ક ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

બંને પાકિસ્તાનમાં નાઝીર ભટ્ટ, નાસીર ખાન, હરકત-ઉલ-અંસારના નઝીર ખાન અને હિઝબુલ મુજાહિદ્દીનના નદીમના સંપર્કમાં હતા. આ ઉપરાંત આ શંકાસ્પદ ગેંગસ્ટરો સુનીલ રાઠી, નીરજ બવાના, ઈરફાન ઉર્ફે ચેનુ, હાશિમ બાબા, ઈબલ હસન અને ઈમરાન પહેલવાન ગેંગના સંપર્કમાં પણ હતા. નૌશાદને ભારતમાં આતંકવાદી-ગેંગસ્ટર નેટવર્ક ગોઠવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ શંકાસ્પદ નૌશાદનો હેન્ડલર હૈદર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો ખાસ પ્યાદો હતો. નૌશાદ પાકિસ્તાનમાં બેઠેલા હૈદરના સંપર્કમાં હતા. નૌશાદે હૈદરના કહેવા પર પ્લાનિંગ કર્યું હતું. સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને શકમંદોને કાર્ય પૂર્ણ કરવા પર મોટી રકમનું વચન આપવામાં આવ્યું હતું. આ પૈસા હવાલા મારફતે આવવાના હતા. સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 6 લાખ રૂપિયા બિહાર અને કતારથી આવ્યા હતા, જે તેમને મળ્યા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તમને જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસના અવસર પર દિલ્હીથી લઈને પંજાબ અને દેશના અનેક શહેરોમાં મોટા આતંકવાદીઓ અને અંડરવર્લ્ડનો પડછાયો છવાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ISI, ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનો 26 જાન્યુઆરીના દિવસે દિલ્હી અને પંજાબ સહિત દેશના મોટા શહેરોને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ માટે પાકિસ્તાન ISIએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઓપરેટિવ્સની મદદ લીધી છે.

દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, જહાંગીર પુરીમાંથી બે શંકાસ્પદ ખાલિસ્તાન સમર્થિત આતંકવાદીઓની ધરપકડ કર્યા પછી, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તેમના કાવતરાનું કેન્દ્ર ભાલવા ડેરીમાં સ્થિત એક ઘર હતું.

પોલીસે આ આતંકીઓના રહેણાક ભાલવા ડેરી પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી હેન્ડ ગ્રેનેડ અને કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવી છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ ગણતંત્ર દિવસના અવસર પર કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા. ભાલવા ડેરી પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર બંને આતંકીઓ ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાના હતા. આ માટે અર્શદીપે તેને ટાર્ગેટ આપ્યો હતો. આ ઘટના 26 જાન્યુઆરીના રોજ અથવા તેના થોડા સમય પહેલા થવાની હતી.

ખાલિસ્તાની આતંકી અર્શદીપ દલા સાથે મળ્યું કનેક્શન

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદી જગજીત સિંહ કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ ડાલાના સંપર્કમાં હતો. તે ઘણા સમયથી અર્શદીપ માટે કામ કરતો હતો. ગયા અઠવાડિયે જ ગૃહ મંત્રાલયે અર્શદીપને આતંકવાદી જાહેર કર્યો છે. તેમાં જણાવાયું છે કે 2017થી ફરાર અર્શદીપ દલા KTF એટલે કે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો આતંકવાદી છે. જ્યારે નૌશાદ આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસારનો સભ્ય છે અને તાજેતરમાં હત્યાના બે કેસમાં આજીવન કેદની સજા કાપીને બહાર આવ્યો છે.

યાકુબ અને નૌશાદની પૂછપરછ ચાલુ

જહાંગીર પુરીમાંથી પકડાયેલ આતંકવાદી જગજીત ઉર્ફે જસ્સા ઉર્ફે યાકુબ ઉર્ફે કપ્તાન મૂળ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરનો રહેવાસી છે. જ્યારે નૌશાદ દિલ્હીનો રહેવાસી છે. બંને હાલ 14 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

Published On - 11:19 am, Wed, 18 January 23

Next Article