મંદિરે જીતી 50 વર્ષની લડાઈ, હવે સરકાર મંદિરને આપશે 2000 કરોડ રૂપિયાની 4500 એકર જમીન

|

Mar 10, 2023 | 5:43 PM

શ્રીશૈલમ મંદિર નલ્લામાલા આરક્ષિત જંગલની નજીકમાં આવેલું છે. સ્થાનિક ધારાસભ્ય શિલ્પા ચક્રપાણી રેડ્ડીએ વન વિભાગના અધિકારીઓને આ લાંબી લડાઈનો અંત લાવવા વિનંતી કરી. આ જમીનને લઈને છેલ્લા 5 દાયકાથી બે વિભાગો વચ્ચે લડાઈ ચાલી રહી હતી.

મંદિરે જીતી 50 વર્ષની લડાઈ, હવે સરકાર મંદિરને આપશે 2000 કરોડ રૂપિયાની 4500 એકર જમીન

Follow us on

આંધ્ર પ્રદેશના બીજા સૌથી અમીર શ્રીશૈલમ મંદિરને 4500 એકર જમીન મળી છે. રાજ્યના વન વિભાગે આ જમીન મંદિરને આપવા સંમતિ આપી હતી. આ જમીન માટે છેલ્લા 50 વર્ષથી વન વિભાગ અને એન્ડોમેન્ટ વિભાગ વચ્ચે લડાઈ ચાલી રહી હતી. 4500 એકર જમીનની કિંમત 2,000 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે શ્રીશૈલમ મંદિર ત્રિમુલા પછી આંધ્ર પ્રદેશનું બીજું સૌથી ધનિક મંદિર છે.

છેલ્લા 5 દાયકાથી બે વિભાગો વચ્ચે ચાલી રહી હતી લડાઈ

શ્રીશૈલમ મંદિર નલ્લામાલા આરક્ષિત જંગલની નજીકમાં આવેલું છે. સ્થાનિક ધારાસભ્ય શિલ્પા ચક્રપાણી રેડ્ડીએ વન વિભાગના અધિકારીઓને આ લાંબી લડાઈનો અંત લાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ લડતથી ન તો વન વિભાગ કે ન તો એન્ડોમેન્ટને ફાયદો થઈ રહ્યો છે. આ જમીનને લઈને છેલ્લા 5 દાયકાથી બે વિભાગો વચ્ચે લડાઈ ચાલી રહી હતી.

ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીની મદદથી સર્વે કરવામાં આવ્યો

વન વિભાગના મુખ્ય વન સંરક્ષક વાય મધુસુદન રેડ્ડીએ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કર્યા. તેમણે મંદિરની હકીકતો જાણવા પુરાતત્વ વિભાગની મદદ પણ લીધી હતી. જેમાં મહેસુલ વિભાગના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. સર્વે માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી. તેમાં રેવન્યુ, ફોરેસ્ટ, એન્ડોમેન્ટ, સર્વે અને લેન્ડ રેકોર્ડના અધિકારીઓનો સમાવેશ થતો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મંદિરને 4500 એકર જમીન મળી

સર્વે દરમિયાન ઉચ્ચ સ્તરીય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘણા મહિનાઓના સંશોધન પછી, ટીમે પુષ્ટિ કરી કે વિવાદિત જમીનના માલિક ભગવાન બ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી છે. એન્ડોમેન્ટ મિનિસ્ટર કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે આ જમીન મંદિરની માલિકીની છે. અમને ખુશી છે કે અમે 50 વર્ષની લડાઈ જીતી લીધી છે. મંદિરને 4500 એકર જમીન મળી છે.

જમીન સોંપવાની પ્રક્રિયા દરમિયાન આ મંત્રીઓ હાજર રહ્યા હતા

મહેસૂલ પ્રધાન ધર્મના પ્રસાદ રાવ, વન અને પર્યાવરણ પ્રધાન પેડ્ડીરેડ્ડી રામચંદ્ર રેડ્ડી ઉપરાંત, એન્ડોવમેન્ટ પ્રધાને મુખ્ય વન સંરક્ષકને વિનંતી કરી કે તેઓ મંદિરના સંચાલનને જમીન ઔપચારિક રીતે સોંપે. મધુસુદન રેડ્ડીએ વન અધિકારીને મંદિરના સત્તાવાળાઓ સાથે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રીશૈલમ મંદિરના ઇઓ એસ લાવન્ના અને વન વિભાગના નાયબ નિયામક એલન ચોંગ ટેરોન દ્વારા એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Published On - 5:42 pm, Fri, 10 March 23

Next Article