Manipur Violence: સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા પર વ્યક્ત કરી ચિંતા, પૂછ્યું- વિસ્થાપિતોનું શું થશે?

|

May 08, 2023 | 5:29 PM

CJI DY ચંદ્રચુડે કહ્યું કે જે લોકો વિસ્થાપિત થયા છે, શું સરકાર તેમને તેમની જગ્યા કે ઘર પાછું આપશે? એસજીએ કહ્યું કે સામાન્ય સ્થિતિ ફરી શરૂ થવા દેવી જોઇએ.

Manipur Violence: સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા પર વ્યક્ત કરી ચિંતા, પૂછ્યું- વિસ્થાપિતોનું શું થશે?
Image Credit source: Google

Follow us on

મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર સોમવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ પાસે કોઈપણ જાતિને એસટી તરીકે ઓળખવાની, ભલામણ કરવાની સત્તા આપવામાં આવી છે. આ સત્તા હાઈકોર્ટ પાસે નથી. એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્ર પણ દેખરેખ રાખી રહ્યું છે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Manipur Violence: માત્ર અનામત જ નહીં, મણિપુર હિંસા પાછળના આ 6 કારણો છે જેણે નફરતના બીજ વાવ્યા

CJI DY ચંદ્રચુડે કહ્યું કે જે લોકો વિસ્થાપિત થયા છે, શું સરકાર તેમને તેમની જગ્યા કે ઘર પાછું આપશે? એસજીએ કહ્યું કે સામાન્ય સ્થિતિ ફરી શરૂ થવા દો. 35 CAPF જવાનોની નિમણૂક કરવામાં આવી હતી. એક વરિષ્ઠ સભ્યને તે જગ્યાએ પાછા મોકલવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં કોઈ હિંસા થઈ નથી. સામાન્યતા ફરી શરૂ થઈ રહી છે. અમને થોડો સમય આપવામાં આવે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

CJIએ કહ્યું વિસ્થાપિતોનું શું?

એસજીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકોને ઘર અને ભોજન આપવા માટે રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યાં સેના અને અન્ય અર્ધલશ્કરી દળો કામ કરી રહ્યા છે અને તેઓ સફળ પણ છે. બધું શાંત થવા દો. 10 દિવસ પછી મામલાની સુનાવણી. CJIએ કહ્યું વિસ્થાપિતોનું શું? શું સરકાર એવા પગલાં લઈ રહી છે કે જેથી તેઓ તેમના સ્થાને પહોંચે. એસજીએ કહ્યું કે સરકારની પ્રાથમિકતા છે કે આ કોઈપણ અવરોધ વિના અને સલામત રીતે કરવું.

દરેક જગ્યાએ વ્યક્તિ અને સંપત્તિની સુરક્ષા કરવી પડશે

CJIએ કહ્યું કે ધાર્મિક વિસ્તારોની સુરક્ષા માટે પણ પગલાં ભરવા પડશે. તેના પર એસજીએ કહ્યું કે માત્ર કેટલાક ધાર્મિક સ્થળો જ નહીં પરંતુ દરેક જગ્યાએ વ્યક્તિ અને સંપત્તિની સુરક્ષા કરવી પડશે. કોર્ટે કહ્યું કે અમે એસજી મહેતાને અરજીઓમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ધ્યાન આપવાનું કહી રહ્યા છીએ. અરજીકર્તાના વકીલે કોર્ટને કહ્યું કે હિંસા પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની જરૂર છે. સરકાર જે કહી રહી છે કે સ્થિતિ સામાન્ય થઈ રહી છે તે યોગ્ય નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article