
હાલ દુનિયા એક ગંભીર કુદરતી પડકારનો સામનો કરવા જઈ રહી છે, જેને વૈજ્ઞાનિકો ‘સુપર અલ નિનો ઈફેક્ટ’ ગણાવી રહ્યા છે. આ માત્ર પર્યાવરણીય ફેરફાર નથી, પરંતુ ભારત જેવા દેશ માટે તે આર્થિક સુનામી સાબિત થઈ શકે છે. આ માત્ર પર્યાવરણીય ફેરફાર નથી. તાજેતરના અહેવાલો મુજબ, 150 વર્ષ પછી ફરી એકવાર એવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે જેણે અગાઉ વિશ્વની 4% વસ્તીને અસર કરવાની છે. વધતુ તાપમાન અને અલ નિનોની અસરો ભારતીય અર્થતંત્રના પાયા હચમચાવી શકે છે. કેવી રીતે બને છે અલનિનો? અલ નિનો એક ખતરનાક ભૌગોલિક ઘટના છે. આ દરમિયામ પેસેફિક મહાસાગરમાં અને હિંદ મહાસાગરમાં સમુદ્રના ગરમ પ્રવાહો તેમની દિશા બદલે છે. સામાન્ય દિવસોમાં આ ગરમ પ્રવાહો ઓસ્ટ્રેલિયા અને એશિયા તરફ વહે છે, જે ચોમાસા માટે ફાયદાકારક છે પરંતુ અલ નિનો સક્રિય થાય છે ત્યારે આ ગરમ પ્રવાહો વિપરીત દિશામાં દક્ષિણ અમેરિકા તરફ વહેવા લાગે છે. આ ફેરફારને કારણે ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની અછત અને ભીષણ ગરમી સર્જાય છે. આ વર્ષે...
Published On - 9:02 pm, Thu, 23 April 26