Breaking News: ભારત માટે ક્યારે ખુલશે હોર્મુઝ નો માર્ગ? ઈરાની રાષ્ટ્રપતિએ કહી દીધી આ મોટી વાત

ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યુ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો અંતર્ગત ત્યારે જ ખુલશે જ્યારે અમેરિકા નાકાબંદી અને દુશ્મન જેવી ગતિવિધિઓ બંધ કરશે. તેમણે ઓમાન સાથે વિશેષ સમુદ્રી વ્યવસ્થા પર વાતચીત કરી. IMO ની સંભવિત ઘોષણા, પ્રતિબંધોની ટીકા તેમજ બ્રિક્સ ને વેપાર અને સંપર્કો વધારવા માટેના માધ્યમ તરીકે રજૂ કર્યુ.

Breaking News: ભારત માટે ક્યારે ખુલશે હોર્મુઝ નો માર્ગ? ઈરાની રાષ્ટ્રપતિએ કહી દીધી આ મોટી વાત
| Updated on: Sep 12, 2026 | 9:27 PM

ભારત માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્યારે ખુલશે, આના પર ઈરાની રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયાને જણાવ્યુ કે આ જળમાર્ગ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત સિદ્ધાંતો અંતર્ગત ખોલવામાં આવશે. પરંતુ તેના માટે અમેરિકાએ તેની નાકાબંદી અને દુશ્મન જેવી ગતિવિધિ બંધ કરવી પડશે. તેમણે કહ્યુ કે ઓમાન સાથે એક વિશેષ સમુદ્રી વ્યવસ્થા પર વાતચીત ચાલી રહી છે અને આગળ અરબ દેશોના વિદેશ મંત્રી પણ ઓમાન સાથે બેઠક કરશે, જેથી સમજૂતિ થઈ શકે.

રાષ્ટ્રપતિે એ પણ કહ્યુ કે આ સમજૂતિ બાદ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન એટલે IMO આ જ સ્થિતિની ઘોષણા કરશે. જો કે તેમણે જણાવ્યુ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થનારા ભારતીય નાવિકો અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે કારણ કે ભારત આના કારણે બહુ મોટા ઊર્જા સંકટ નો સામનો કરી રહ્યુ છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ની વર્તમાન સ્થિતિ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે હોર્મુઝની નાકાબંધીથી આખી દુનિયા પ્રભાવિત થઈ રહી છે અને ભારતમાં પણ તેની ગરમી દેખાઈ રહી છે. બીજી તરફ ટ્રમ્પ અનેકવાર તેના નિવેદનમાં હોર્મુઝને “સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ” ગણાવી ચુક્યા છે, તેના વિશે અને હુત્તી અને હિઝબુલ્લાહ અને હમાસની મદદથી ત્યાંની સ્થિતિ પર તેમણે ઈરાનનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યુ. તેમણે કહ્યુ ના તો હિઝબુલ્લાહ કે ના તો ઈરાને વોરની શરૂઆત કરી છે. તેમના મતે આ તમામ સમૂહો તેમનો બચાવ કરી રહ્યા છે. અને પહેલો હુમલો કોણે કર્યો, એ જોવાની જરૂર ઠછે. તેમણે કહ્યુ કે દુશ્મનો હુમલાઓ કરી રહ્યા છે, તેમના ક્ષેત્ર પર વાર કરી રહ્યા છે, રસ્તા બંધ કરી રહ્યા છે એવી સ્થિતિમાં કોઈ એવી આશા ન રાખી શકે કે ઈરાન કંઈ ન કરે અને ચૂપચાપ બેસી રહે.

ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યુ કે જો અમે જીવિત છીએ તો અમારે જવાબ દેવો પડશે, જ્યારે અમે મરી જઈશુ ત્યારે જવાબ નહીં આપીએ. સાથે જ તેમણે કહ્યુ કે જો અમેરિકા નાકાબંધી અને પ્રતિબંધ ખતમ કરવા ઈચ્છે છે તો સ્થિતિ બદલી શકે છે. તેમના મતે પ્રતિબંધોનો મતલબ દર્દીઓને મારવા, લોકોને બેરોજગાર કરવો અને ગરીબી અને અંસતોષ ઉભો કરવાનો છે.

અમેરિકા અંગે, તેમણે કહ્યું કે જો તે યુદ્ધ કરવા માંગે છે, તો તેણે નાગરિકોને નિશાન બનાવવાને બદલે સૈન્ય સામે લડવું જોઈએ. તેમણે ટિપ્પણી કરી કે યુદ્ધ દ્વારા તેના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા પછી, અમેરિકા હવે આર્થિક પગલાં દ્વારા આમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક પ્રયાસ જે નિષ્ફળ પણ સાબિત થશે. તેમના મતે, BRICS આ અવરોધિત માર્ગને ખોલવા અને વેપાર અને પરસ્પર જોડાણને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.

એકંદરે, ઈરાની રાષ્ટ્રપતિએ હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનને સંવાદ, દરિયાઈ નિયમો અને આંતરરાષ્ટ્રીય ઘોષણાઓ સાથે જોડ્યું, જ્યારે સ્પષ્ટ કર્યું કે આ દિશામાં પ્રગતિ કરવા માટે, અમેરિકાએ નાકાબંધી અને પ્રતિકૂળ પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ. તેમણે પ્રાદેશિક પરિસ્થિતિ, બદલો લેવાના પગલાં, પ્રતિબંધો અને BRICS ની ભૂમિકા વિશે પણ વિગતવાર જણાવ્યું.

Breaking News: ટેરિફની ધમકી સામે એકજૂથ થયા બ્રિક્સ દેશો, કહ્યુ આવી દાદાગીરી હવે વધુ નહીં ચલાવી લેવાય

Follow Us
Loading...
Unable to load recommendations.