કોંગ્રેસ(Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)એ ગુરુવારે કર્ણાટકના મંડ્યામાં ભારત જોડો યાત્રા(Bharat Jodo yatra)માં હાજરી આપી હતી. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)ની આગેવાની હેઠળની આ યાત્રામાં સોનિયા ગાંધી પાર્ટીના કાર્યકરો સાથે લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. આ પછી, તે કારમાં બેસીને મુસાફરી સાથે રહી. સોનિયા ગાંધીના આગમનને લઈને ભારત જોડો યાત્રામાં જોડાયેલા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ 3700 કિલોમીટરથી વધુનું અંતર કાપવાનું છે.
સોનિયા ગાંધીએ મંડ્યા જિલ્લાના ડાક બંગલા વિસ્તારમાંથી પદયાત્રાની શરૂઆત કરી હતી. તે પ્રથમ વખત ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા માંડ્યામાં સોનિયાની પદયાત્રા એ અર્થમાં પણ નોંધપાત્ર છે કે તે દેવેગૌડા પરિવારનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, ‘આ ઐતિહાસિક ક્ષણ છે કે સોનિયા ગાંધીજી આ યાત્રામાં જોડાયા છે. તેનાથી કર્ણાટકમાં પાર્ટી વધુ મજબૂત થશે.
આ દરમિયાન કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું છે કે વિજયાદશમી પછી અમે કર્ણાટકમાં જીતી રહ્યા છીએ. અમને ગર્વ છે કે સોનિયા ગાંધી કર્ણાટક આવ્યા અને અહીંના રસ્તાઓ પર ભારત જોડી યાત્રામાં જોડાયા. અમે રાજ્યમાં સત્તામાં આવી રહ્યા છીએ અને ભાજપની દુકાન બંધ થવાના આરે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ અને કાર્યકરોએ 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ દિવસોમાં પ્રવાસ કર્ણાટકમાં છે.
પાર્ટીએ રાહુલ સહિત તે 119 નેતાઓને ભારતયાત્રી તરીકે નામ આપ્યા છે, જેઓ પગપાળા યાત્રા કરીને કાશ્મીર જશે. આ લોકો 3,570 કિમીનું નિર્ધારિત અંતર કાપશે. કોંગ્રેસ માને છે કે આ યાત્રા પાર્ટી માટે લાઈફલાઈન બની રહેશે. સોનિયા ગાંધી સોમવારે કર્ણાટકના મૈસૂર પહોંચ્યા હતા. વિજયાદશમીના અવસર પર તેમણે બુધવારે એચડી કોટે વિધાનસભા ક્ષેત્રમાં એક મંદિરમાં પૂજા કરી હતી. કર્ણાટકમાં ચાલી રહેલી પાર્ટીની ભારત જોડી યાત્રા માટે સોમવારે બપોરે મૈસૂર પહોંચેલા ગાંધી અહીંના એક ખાનગી રિસોર્ટમાં રોકાયા હતા. ભારત જોડો યાત્રાને બે દિવસનો વિરામ આપવામાં આવ્યો હતો.