લેહમાં હિંસા બાદ વિવાદમાં ફસાયા સોનમ વાંગચુક, વિદેશી ભંડોળ માટે CBI ના રડારમાં

સોનમ વાંગચુકની સંસ્થા, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ (HIAL), વિવાદમાં સપડાઈ છે. CBI એ HIAL સામે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) ના ઉલ્લંઘન બદલ તપાસ શરૂ કરી છે. CBI સોનમ વાંગચુક અને તેમની સંસ્થા સામે, વિદેશી ભંડોળ અંગે તપાસ કરી રહી છે.

લેહમાં હિંસા બાદ વિવાદમાં ફસાયા સોનમ વાંગચુક, વિદેશી ભંડોળ માટે CBI ના રડારમાં
| Edited By: | Updated on: Sep 25, 2025 | 6:27 PM

લદ્દાખ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની સંસ્થા, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ (HIAL) અનેક આરોપોનો સામનો કરવો પડ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ના ઉલ્લંઘનની ફરિયાદોના આધારે HIAL સામે તપાસ શરૂ કરી છે. CBI એ આ મામલે FIR દાખલ કરી નથી, પરંતુ ફક્ત તપાસ શરૂ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ઓગસ્ટમાં, લદ્દાખ વહીવટીતંત્રે HIAL ની જમીન ફાળવણી રદ કરી હતી. રદ કરતી વખતે, લદ્દાખ વહીવટીતંત્રે દાવો કર્યો હતો કે, જે હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી તે હેતુનો ઉપયોગ સરકારે ફાળવેલી જમીન ઉપર કરવામાં આવતો નહતો. આથી તે ફાળવેલી જમીન પરત લઈ લેવામાં આવી હતી. વધુમાં, જમીન માટે કોઈ ઔપચારિક લીઝ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા.

વિદેશી ભંડોળ અંગે પણ તપાસ ચાલી રહી છે

સેન્ટ્ર્લ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન ( CBI ) સોનમ વાંગચુક અને તેમની સંસ્થા સામે વિદેશી ભંડોળ અંગે તપાસ કરી રહી છે. આ તપાસ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે. સોનમ વાંગચુક અને તેમની પર્યાવરણીય સંસ્થા પર ગેરકાયદેસર વિદેશી ભંડોળ મેળવવાનો આરોપ છે. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા વાંગચુકે કહ્યું કે, અમને એવુ જણાવવામાં આવ્યું છે કે, તેઓએ વિદેશી ભંડોળ મેળવવા માટે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) હેઠળ સરકારના વિવિધ વિભાગની જરૂરી મંજૂરી મેળવી નથી.

અમે અમારું જ્ઞાન વેચીએ છીએ

વાંગચુકે કહ્યું કે, જ્યારે અમે વિદેશી ભંડોળ પર અમારો આધાર રાખવા માંગતા નથી, અમે અમારા જ્ઞાનની નિકાસ કરીએ છીએ અને તેમાંથી આવક ઉત્પન્ન કરીએ છીએ. રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આવા ત્રણ કિસ્સાઓમાં, તેઓ માને છે કે તે વિદેશી ભંડોળ હતું. કેન્દ્ર સરકારે બુધવારે એક કાર્યકર્તા પર આરબ સ્પ્રિંગ-શૈલીના વિરોધ પ્રદર્શનો અને નેપાળમાં તાજેતરના જનરલ ઝેડ વિરોધનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોરીને લદ્દાખમાં હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.

ગૃહ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોનમ વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજ (બંધારણની) છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ અને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ભારત સરકાર આ મુદ્દાઓ પર લેહ માટે સર્વોચ્ચ સંસ્થા (ABL) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) સાથે સક્રિય રીતે સંપર્કમાં છે. આ બાબતે ચર્ચા કરવા માટે ઘણી અનૌપચારિક બેઠકો પણ યોજાઈ છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.