સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ CBI કરશે, ગોવાના સીએમ પ્રમોદ સાવંત સીબીઆઈ તપાસ માટે સંમત થયા

|

Sep 12, 2022 | 1:46 PM

થોડા દિવસો પહેલા સોનાલી ફોગાટના મોતની સીબીઆઈ (CBI) તપાસ માટે ખાપ પંચાયતને બોલાવવામાં આવી હતી. ખાપ પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેની તપાસ સીબીઆઈને આપવામાં આવે. રાજ્ય સરકારે આ બાબતનો સ્વીકાર કર્યો છે.

સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ CBI કરશે, ગોવાના સીએમ પ્રમોદ સાવંત સીબીઆઈ તપાસ માટે સંમત થયા
Sonali Phogat

Follow us on

બીજેપી હરિયાણા રાજ્ય એકમના નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Phogat) મૃત્યુ બાદ સીબીઆઈ (CBI) તપાસની માગ ઉઠી હતી. ગોવાના સીએમ પ્રમોદ સાવંત (Pramod Sawant) સીબીઆઈ તપાસ માટે સંમત થયા છે. ગોવાના સીએમએ કહ્યું છે કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સોનાલી ફોગાટ કેસની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવશે. થોડા દિવસો પહેલા સોનાલી ફોગાટના મોતની સીબીઆઈ તપાસ માટે ખાપ પંચાયતને બોલાવવામાં આવી હતી. ખાપ પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેની તપાસ સીબીઆઈને આપવામાં આવે. રાજ્ય સરકારે આ બાબતનો સ્વીકાર કર્યો છે.

સર્વજાતિ ખાપ મહાપંચાયતે રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારને પાર્ટીના નેતા સોનાલી ફોગાટના મૃત્યુની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને 23 સપ્ટેમ્બર સુધીમાં કરવાની ભલામણ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ પહેલા પણ રાજ્ય સરકારે તેમની માંગણી સ્વીકારી છે. હિસારની જાટ ધર્મશાળામાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનાલી ફોગટની પુત્રી યશોધરા અને પરિવારના અન્ય સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ ચાલી રહી છે. અમારી પોલીસ આ મામલાની ખૂબ જ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. ગોવા પોલીસને પણ ખૂબ સારા સંકેતો મળ્યા છે પરંતુ તેની (સોનાલી ફોગાટ) પુત્રીની માગને ધ્યાનમાં રાખીને આજે અમે આ કેસ સીબીઆઈને આપી રહ્યા છીએ: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગોવા પહોંચ્યાના થોડા કલાકો પછી મૃત્યુ થયું

સોનાલી ફોગાટ ઓગસ્ટના અંતમાં ગોવા પહોંચ્યાના થોડા કલાકો પછી મૃત્યુ પામ્યા હતા. શંકાસ્પદ સંજોગોમાં મોતની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં ફોગટના પીએ સાંગવાન સહિત અન્ય એક આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો છે. મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો સરકાર આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં નિષ્ફળ જશે તો 24 સપ્ટેમ્બરે આવી જ બીજી બેઠક યોજવામાં આવશે. સમગ્ર હરિયાણા અને અન્ય રાજ્યોમાંથી ખાપ પ્રતિનિધિઓ 24 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં ભાગ લેશે અને કડક નિર્ણય લેશે.

ગોવા પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી

ગોવા પોલીસ સોનાલી ફોગાટના મૃત્યુની તપાસ કરી રહી છે. તેણે હિસાર, રોહતક અને ગુરુગ્રામ સહિત હરિયાણામાં પણ તપાસ હાથ ધરી હતી. ફોગાટના પરિવારના સભ્યો આ કેસમાં સીબીઆઈ તપાસની માગ પર અડગ છે, એમ કહીને તેઓ ગોવા પોલીસની તપાસથી અસંતુષ્ટ છે. ફોગાટના પરિવારના કેટલાક સભ્યોએ અગાઉ કહ્યું હતું કે જો ગોવા સરકાર પ્રમુખ તપાસ એજન્સી દ્વારા તપાસની ભલામણ નહીં કરે, તો તેઓ કોર્ટમાં અરજી દાખલ કરશે અને આ મામલે સીબીઆઈ તપાસની વિનંતી કરશે.

Published On - 1:46 pm, Mon, 12 September 22

Next Article