Karnataka Election Result: બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, સિદ્ધારમૈયાના સમર્થનમાં સૂત્રોચ્ચાર

|

May 14, 2023 | 10:12 PM

કર્ણાટકમાં સીએમ પદ માટે ક્યા નામને આગળ કરવામાં આવશે તે કાર્ડ કોંગ્રેસ અધ્યક્ષે ખોલ્યા નથી. તેમનું કહેવું છે કે રવિવારે રાજ્યમાં 3 લોકોને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે, જેઓ ધારાસભ્યોનો અભિપ્રાય લેશે.

Karnataka Election Result: બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, સિદ્ધારમૈયાના સમર્થનમાં સૂત્રોચ્ચાર
Image Credit source: Google

Follow us on

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવી સરકારની રચનાનો ઉત્સાહ તેજ થઈ ગયો છે. કોંગ્રેસે જીતનો ઝંડો ફરકાવ્યો છે. પાર્ટીએ 135 બેઠકો જીતી છે, જ્યારે ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: Viral Video: કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર Pakistan ઝિંદાબાદના લાગ્યા નારા, પોલીસે નોંધી FIR

દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે 35 વર્ષ બાદ કોંગ્રેસને આટલી બહુમતી મળી છે. સ્થિર સરકાર બનાવવા માટે બહુમતી મેળવી. સામાન્ય જનતાએ ભાજપને નકારી કાઢ્યો અને કોંગ્રેસને ફરી સત્તામાં લાવી.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

તાજા અપડેટ

  • કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. બેઠક પહેલા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના સમર્થકોએ પોતપોતાના નેતાઓ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.
  • ધારાસભ્ય દળની બેઠક બાદ જ દિલ્હીમાં કોંગ્રેસની કોઈ બેઠક નહીં થાય. સંભવતઃ ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સોમવારે મળી શકે છે.
  • બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પહેલા સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને રણદીપ સિંહ સુરજેવાલાની એક અલગ બેઠક ચાલી રહી છે.
  • ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ બેંગલુરુમાં કહ્યું કે હાર અને જીત બંનેની જવાબદારી પાર્ટીની નહીં પણ આપણી છે. અમે હાર સ્વીકારીએ છીએ. અમે આંતરિક સમીક્ષા કરીશું અને સુધારાઓ કરીશું. ભાજપ કેડર બેઝ પાર્ટી છે. 100 ખરગે પણ ભાજપનો સફાયો નહીં કરી શકે.
  • સિદ્ધારમૈયાના સમર્થકો બેંગલુરુમાં શાંગરી-લા હોટેલની બહાર સિદ્ધારમૈયાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી હતી. કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ની બેઠક શાંગરી-લા હોટલમાં યોજાશે.
  • કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ની બેઠક માટે કોંગ્રેસના નેતાઓ બેંગ્લોર શાંગરી લા હોટેલ પહોંચ્યા છે, જ્યાં સીએમ પદ અને કેબિનેટ મંત્રીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
  • કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. શિવકુમારના સમર્થકો તેમના ઘરની બહાર એકઠા થયા હતા. તેઓએ ‘વી વોન્ટ ડીકે’ ના નારા લગાવ્યા હતા.

ખડગેનું કહેવું છે કે કેબિનેટની રચના કર્યા બાદ અમે અમારા મેનિફેસ્ટોમાં જનતાને આપેલા તમામ 5 વચનો અમલમાં મુકીશું. દલિતો, ગરીબો, લઘુમતી સમુદાયોએ 5 ગેરંટી અપનાવી છે. જેણે કોંગ્રેસને મત આપ્યો તેના માટે સારું, જેણે ન આપ્યું તેના માટે સારું. ચૂંટણીમાં જે કંઈ થયું તે ભૂલીને આપણે કર્ણાટકના ભલા માટે કામ કરવું જોઈએ.

કર્ણાટકમાં સીએમ પદ માટે ક્યા નામને આગળ કરવામાં આવશે તે કાર્ડ કોંગ્રેસ અધ્યક્ષે ખોલ્યા નથી. તેમનું કહેવું છે કે રવિવારે રાજ્યમાં 3 લોકોને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે, જેઓ ધારાસભ્યોનો અભિપ્રાય લેશે. આ પછી હાઈકમાન્ડને રિપોર્ટ આપવામાં આવશે, ત્યારબાદ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવશે. પાર્ટીમાં સીએમ પદને લઈને ઉઠતા સવાલો અંગે તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં દરેક વ્યક્તિ પોતાના અધિકારની માંગ કરે છે, કોઈ વિવાદ નથી, બધુ સરખું થઈ જશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article