Seema Haider: નથી ખાવાનું કે નથી પૈસા, સીમા અને સચિન પોતાનું ઘર છોડી બીજા ઘરમાં રહેવા બન્યા મજબૂર

સીમા હૈદર, સચિન અને સચિનના પિતા નેત્રપાલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નેત્રપાલે કહ્યું કે તેમના પર થયેલા પોલીસ કેસના કારણે તેઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરનો કોઈ સભ્ય પૈસા કમાવવા માટે બહાર જઈ શકતો નહીં હોવાની વાત કરી છે.

Seema Haider: નથી ખાવાનું કે નથી પૈસા, સીમા અને સચિન પોતાનું ઘર છોડી બીજા ઘરમાં રહેવા બન્યા મજબૂર
| Edited By: | Updated on: Jul 30, 2023 | 10:42 PM

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) અને તેનો પ્રેમી સચિન હાલમાં રબુપુરામાં એક નાના મકાનમાં રહે છે. આ દરમ્યાન સીમા-સચિન અને સચિનના પિતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર વીડિયોમાં સચિનના પિતાએ જણાવ્યું કે અમારા પર થયેલા પોલીસ કેસના કારણે આખો પરિવાર ઘરે જ છે. તેઓ કોઈ પણ બહાર જવા કે કામ મેળવવા માટે સક્ષમ નથી. ઘરની સ્થિતિ પણ કથળી છે. જોકે ખાવા-પીવાના પણ ફાફા પડ્યા છે.

આ પરિસ્થિતી અંગે સચિનના પિતા નેત્રપાલે જણાવ્યુ કે, અમે રોજ કમાઈ રોજ ખાઈએ છીએ. પરંતુ જ્યારથી પોલીસે તેમને ઘરની બહાર નહી નીકળવા જણાવ્યુ છે તે ત્યારથી તેઓ ઘરના કોઈ પણ સભ્યો અવાક મેળવી શકે તેમ નથી. આખો દિવસ તમામ લોકોએ ઘરમાં જ રહેવું પડે છે. ઘરના સભ્યોનું કહેવું છે કે તેમના ઘરમાં રાશન પણ હવે ખાવા માટે બચ્યું નથી. આ માટે તેમણે સ્થાનિક AHOને પણ પત્ર લખ્યો હતો. તેમણે આશા છે કે તેઓ અમારી વાત વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડી શકે.

સચિનના પિતા નેત્રપાલે મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી કે તેમની આ પરિસ્થિતીને લઈ યોગ્ય પગલાં લેવામાં આવે. હાલમાં ઘરનો એક પણ સભ્ય બહાર જઈ શકતો નથી. જેથી પૈસા કમાવવાનો અન્ય કોઈ રસ્તો નથી. હાલમાંજ સીમા હૈદરના સમગ્ર કેસની અંદર બે જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કરાયેલા બંને યુવકો સીમાના પતિ સચિનના સગા હોવાનું માનવમાં આવે છે. મહત્વનુ છે કે નકલી આધાર કાર્ડ બનાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ બંને લોકો પાસેથી 15 નકલી આધાર કાર્ડ પણ કબજે કર્યા હતા. પોલીસે તેમની પાસેથી નકલી આધાર કાર્ડ બનાવવાના મશીનો પણ કબજે કર્યા છે.

બોર્ડર પરથી મળેલા પાસપોર્ટ પાકિસ્તાન એમ્બેસીને મોકલવામાં આવ્યા

હાલમાં સીમા હૈદર કેસમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે. આ બાબતે નોઇડા પોલીસે અલગ અલગ પાસપોર્ટ, બોર્ડરનું પાકિસ્તાની ઓળખ પત્ર, સરહદ નજીકથી પણ બાળકોના પાસપોર્ટ સહિત તમામ રિકવર કરેલા દસ્તાવેજો પાકિસ્તાન એમ્બેસીને હાલમાં મોકલવામાં આવ્યા છે.

તપાસ દરમ્યાન પોલીસે સીમા પાસેથી જે મોબાઈલ રિકવર થયો હતો તેને ગાઝિયાબાદની ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. જ્યાં સુધી ફોરેન્સિક રિપોર્ટ નહીં આવે અને પાકિસ્તાન દ્વારા સરહદની ઓળખ અંગે પુષ્ટિ નહી થાય ત્યાં સુધી તપાસ ચાલુ રહેશે અને ત્યારબાદ આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરાશે. જોકે આ સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જ સીમાને ભારતમાં રહેવા દેવામાં આવશે કે પછી પાકિસ્તાન મોકલી આપવામાં આવશે તે અંગે તમામ બાબતો અંગે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : મણિપુરથી પરત ફર્યા ‘I.N.D.I.A’ના નેતા, કહ્યું- સાંજ થાય એટ્લે ફાયરિંગ શરૂ થઈ જાય, રાષ્ટ્રપતિ શાસનની માગ

સીમાના કેસમાં CBI કે RAW તપાસ થશે કે કેમ !

પૂછપરછમાં સીમા હૈદરએ કહ્યું કે તેમણે અને તેના બાળકોએ નેપાળમાં જ આવી પોતાનો ધર્મ પરીવર્તન કર્યો હતો. જોકે તે પહેલાથી જ તે હિન્દુ ધર્મમાં માનતી હતી. સીમાએ સચિન માટે બે વખત કરવા ચૌથનું વ્રત પણ રાખ્યું હોવાનું તેણે જણાવ્યુ હતું. સીમાએ કહ્યું તે તે જાસૂસ નથી. અને જો તમે ઇચ્છો તો મારો પોલીગ્રાફી ટેસ્ટ કરાવો. સીમા હેદરે તેમના માટે RAW કે CBI દ્વારા તપાસ કરાવવામાં આવે તેમ પણ જણાવ્યુ હતું. સીમાએ કહ્યું તે તમામ બાબતોમાં પોલીસને સહકાર આપશે. જો તે ક્યાંય પણ ખોટી જણાય તો જેલમાં ધકેલી દેવો વાત કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો