MP Election: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને શાહ એક્શનમાં, ચૂંટણી કેલેન્ડર માટે MPના દિગ્ગજો સાથે ઉચ્ચસ્તરીય બેઠક

|

Aug 07, 2023 | 9:33 AM

ઉચ્ચસ્તરીય બેઠકમાં ચાર મહિના બાદ યોજાનારી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે નેતાઓ પાસેથી તેમની તાજેતરની મુલાકાતોની અસર વિશે પૂછપરછ કરી હતી. આ સાથે અમિત શાહે અત્યાર સુધીની કામગીરી અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને રચાયેલી સમિતિઓના ફીડબેક લીધા હતા.

MP Election: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને શાહ એક્શનમાં, ચૂંટણી કેલેન્ડર માટે MPના દિગ્ગજો સાથે ઉચ્ચસ્તરીય બેઠક
Shah in action on Madhya Pradesh assembly elections

Follow us on

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સક્રિય છે. બેઠકો સતત થઈ રહી છે. રવિવારે મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે મધ્યપ્રદેશના વરિષ્ઠ નેતાઓની બેઠક પણ યોજાઈ હતી, જે મોડી રાત સુધી ચાલી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા, મધ્ય પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક નરેન્દ્ર સિંહ તોમર, રાજ્ય સંગઠન મંત્રી હિતાનંદ અને ભાજપના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સહપ્રભારી અશ્વિની વૈષ્ણવે પણ બેઠકમાં હાજરી આપી હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ચાર મહિના બાદ યોજાનારી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે નેતાઓ પાસેથી તેમની તાજેતરની મુલાકાતોની અસર વિશે પૂછપરછ કરી હતી. આ સાથે અમિત શાહે અત્યાર સુધીની કામગીરી અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને રચાયેલી સમિતિઓના ફીડબેક લીધા હતા.

દિગ્ગજો સાથે બનાવ્યું ચૂંટણી કેલેન્ડર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે યોજાયેલી આ બેઠકમાં રાજ્યના દિગ્ગજોએ આગામી ચૂંટણી માટે કેલેન્ડર તૈયાર કર્યું હતું. જેમાં આગામી દિવસોમાં કયા વિસ્તારમાં કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે તે અંગે વિચાર મંથન કરવામાં આવ્યું હતું. 12 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના સાગરમાં સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કરશે અને એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદીના આ કાર્યક્રમ અંગેની બેઠકમાં અમિત શાહે વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

સાગર પ્રવાસ ઉપરાંત વડાપ્રધાન મોદીના રાજ્યમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ રાખવામાં આવી હતી. મધ્યપ્રદેશની ચૂંટણી માટે આ બેઠક ઘણી મહત્વની હતી. લગભગ ચાર કલાક ચાલેલી આ બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓ અને સંગઠનને વધુ મજબુત બનાવવા અને આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી.

મધ્યપ્રદેશની કમાન શાહના હાથમાં

કેન્દ્રીય નેતૃત્વએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની કમાન સંભાળી લીધી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે ચૂંટણી પર નજર રાખી રહ્યા છે. આ માટે તેમણે રાજ્યની સતત મુલાકાત પણ લીધી છે. તેણે મધ્યપ્રદેશની ચૂંટણી માટે જે ટીમ બનાવી છે તેમાં તેણે પોતાના વિશ્વાસુ લોકોને પણ તૈનાત કર્યા છે.

શાહ દ્વારા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે, જેઓ તેમના ખૂબ નજીકના માનવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને નરેન્દ્ર સિંહ તોમરને પણ ચૂંટણી માટે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને આ નેતાઓને પણ કેન્દ્રની નજીક માનવામાં આવે છે. તે જ સમયે, પાર્ટી નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના દાવેદારનું નામ નક્કી કરવાને બદલે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડશે. આ રણનીતિ હેઠળ પાર્ટી ચૂંટણીની તૈયારી કરી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article