Breaking News: “સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ”, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિે સનાતન ધર્મ પર ફરી એકવાર વિવાદી નિવેદન આપ્યુ છે. આ નિવેદન તેમણે તમિલનાડુના નવા મુખ્યમંત્રી થલપતિ વિજયની સામે આપ્યુ છે.

Breaking News: સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન
| Updated on: May 12, 2026 | 1:32 PM

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મ વિશે ઝેર ઓક્યુ છે.વિધાનસભામાં તેના વિવાદી નિવેદનને દોહરાવતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ કે સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ. ઉદયનિધિએ જે સમયે આ નિવેદન આપ્યુ એ સમયે મુખ્યમંત્રી વિજય વિધાનસભામાં તેમની સામે જ બેઠા હતા આ અગાઉ વર્ષ 2023માં પણ ઉદયનિધિ સ્ટાલિને આવુ નિવેદન આપ્યુ હતુ. એ સમયે પણ આ નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. ભાજપે દેશભરમાં ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ પ્રદર્શન કર્યુ હતુ. હવે ફરી એકવાર આ નિવેદનને દોહરાવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને સત્તા પક્ષ-વિપક્ષ બંને વચ્ચે ટકરાવની સંભાવના વધી ગઈ છે.

એક યુઝરે X પર શેર કર્યો વીડિયો

X પર રાહુલ શિવશંકર નામના યુઝરે આ વીડિયોને ટ્વીટ કરતા લખ્યુ કે CM વિજય જોી રહ્યા છે જ્યારે વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિન કહી રહ્યો છે, સનાતનને ખતમ કરી દેવો જોઈએ. જો કે હવે એ જોવુ રહ્યુ કે તમિલનાડુના નવા CM વિજય કોઈપણ સમયે વિપક્ષ દ્વારા સનાતનની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે ટીકા કરે છે કે નહીં. આપને જણાવી દઈએ કે તમિલનાડુના પૂર્વ CM એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ એ સપ્ટેમ્બપ 2023 માં એક સંમેલનમાં કહ્યુ હતુ કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને તેનો ખાત્મો કરી દેવો જોઈએ. આ નિવેદનની પણ વિવિધ વર્ગના લોકોએ આકરી ટીકા કરી હતી.

સનાતન ધર્મને ગણાવ્યો મચ્છર, ડેંગૂ, મેલેરિયા અને કોરોના

ઉદયનિધિ સ્ટાલિને તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સના એક કાર્યક્રમમાં સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરતા કહ્યુ હતુ કે તે સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે સનાતન ધર્મને મચ્છર, ડેંગુ, મેલેરિયા કે કોરોનાની જેમ ખતમ કરી દેવો પડશે.

પૂર્વ સરકારમાં તમિલનાડુના ખેલ અને યુવા બાબતોના મંત્રી રહેલા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ હતુ કે સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે તેને ખતમ જ કરવો પડશે. તેમણે તેના આ વાણીવિલાસ વિશે માફી માગવાનો ઈનકાર કરતા કહ્યુ હતુ કે હું તેને સતત કહેતો રહીશ

સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !

Published On - 1:16 pm, Tue, 12 May 26

Follow Us