AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજસ્થાનમાં ફરી ગેહલોત VS પાયલટનો ડ્રામા, પાયલટના આકરા પ્રહાર ‘સોનિયા નહીં, વસુંધરા રાજે છે અશોક ગેહલોતના નેતા’

કોંગ્રેસ નેતા સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, અમે અશોક ગેહલોતનું છેલ્લું ભાષણ સાંભળ્યું, આ ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે તેમના (અશોક ગેહલોત) નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા છે.

Breaking News: રાજસ્થાનમાં ફરી ગેહલોત VS પાયલટનો ડ્રામા, પાયલટના આકરા પ્રહાર 'સોનિયા નહીં, વસુંધરા રાજે છે અશોક ગેહલોતના નેતા'
Sachin Pilot Vs Ashok Gehlot
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 12:44 PM
Share

રાજસ્થાન(Rajasthan)માં કોંગ્રેસની અંદર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આંતરકલહ મંગળવારે સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, અમે અશોક ગેહલોતનું છેલ્લું ભાષણ સાંભળ્યું, આ ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે તેમના (અશોક ગેહલોત) નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા છે.

આ પણ વાંચો: Big Breaking : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જોફ્રા આર્ચર IPL 2023માંથી બહાર આ ખેલાડીને તક મળી

અશોક ગેહલોતના નિવેદનનો ઉલ્લેખ કરતા સચિન પાયલટે કહ્યું કે, એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અમારી સરકારને તોડી પાડવાનું કામ કરી રહી છે. બીજી તરફ તેઓ કહી રહ્યા છે કે અમારી સરકાર વસુંધરા રાજેએ બચાવી હતી. આ નિવેદનમાં ઘણો વિરોધાભાસ છે. મને લાગે છે કે આની સ્પષ્ટતા થવી જોઈએ.

2020માં વિદ્રોહનો ઉલ્લેખ કરતા સચિન પાયલટે કહ્યું કે, અમે સરકારમાં નેતૃત્વ પરિવર્તન ઈચ્છતા હતા. અમે અમારી વાત પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ મૂકી છે. અનેક રાઉન્ડની બેઠકો બાદ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પછી અમે બધાએ કોંગ્રેસને મજબૂત કરવા સખત મહેનત કરી. આ કાર્યકાળ અઢી વર્ષ સુધી ચાલ્યો, જેમાં અમારા દ્વારા અનુશાસન તોડવાનું કોઈ કાર્ય કરવામાં આવ્યું ન હતું.

ભાજપના નેતાઓના વખાણ થઈ રહ્યા છે – પાયલટ

પાયલોટે કહ્યું, મેં પહેલીવાર જોયું કે અમારી સરકાર, અમારા ધારાસભ્યો, અમારા નેતાઓને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવામાં આવી રહ્યા છે જ્યારે ભાજપના નેતાઓના વખાણ થઈ રહ્યા છે તે સમજની બહાર છે.

પાયલોટે કહ્યું, ગઈ કાલે અમારા પર આરોપો લગાવવામાં આવ્યા હતા. અમે અમારી પાર્ટી અને સરકારની છબીને નુકસાન પહોંચાડવા માંગતા ન હતા. તેઓ પોતાની જ સરકાર અને ધારાસભ્યોને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. આ કામ ખોટું છે, અમે બધા અમારી વાત રાખવા દિલ્હી ક્યા લોકો પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જેઓ 30-40 વર્ષથી જાહેર જીવનમાં છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">