Rahul Gandhi: દરેક સંસ્થામાં RSSના લોકો, મંત્રાલય પણ ચલાવી રહ્યા છે, લદ્દાખથી રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ

|

Aug 19, 2023 | 12:54 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં અલગાવવાદના મુદ્દે યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી. તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક રાજકીય લોકો દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહ્યા છે

Rahul Gandhi: દરેક સંસ્થામાં RSSના લોકો, મંત્રાલય પણ ચલાવી રહ્યા છે, લદ્દાખથી રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ
Rahul Gandhi
Image Credit source: Google

Follow us on

Rahul Gandhi: લદ્દાખ પહોંચેલા રાહુલ ગાંધીએ RSS પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આરએસએસના લોકો દરેક સંસ્થામાં છે. તેઓ કેન્દ્રમાં મંત્રાલય પણ ચલાવી રહ્યા છે. જણાવી દઈએ કે રાહુલ બે દિવસના પ્રવાસ પર લેહ-લદ્દાખ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે પાર્ટી કાર્યકર્તાઓ તેમજ યુવાનો સાથે વાત કરી, તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધી પેંગોંગ લેકની પણ મુલાકાત લેશે.

આ પણ વાંચો: Breaking News: રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કરી જાહેરાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે તેમની પાર્ટીના નેતાઓને મળશે તેમજ લદ્દાખમાં અલગ-અલગ જગ્યાએ યુવાનો સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધી લદ્દાખમાં LACની મુલાકાત લેશે. લદ્દાખમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ દરેક સંસ્થામાં પોતાના લોકોને રાખે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રાહુલે કહ્યું કે આરએસએસના લોકો જ બધું ચલાવી રહ્યા છે. જો તમે કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રીને પૂછો તો પણ તેઓ તમને કહેશે કે વાસ્તવમાં તેઓ તેમનું મંત્રાલય નથી ચલાવી રહ્યા પરંતુ RSS દ્વારા નિયુક્ત તેમના OSD ચલાવી રહ્યા છે. તે બધું જ કરી રહ્યા છે. તેઓએ સમાન દૃશ્ય બનાવ્યું છે. તેઓ દરેક સંસ્થામાં બધું ચલાવી રહ્યા છે.

રાહુલ ગાંધી લેહમાં તેમની પિતાની જન્મજયંતિ પર પેંગોંગ લેક ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. તમને જણાવી દઈએ કે 20 ઓગસ્ટ 1944ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. કોંગ્રેસ આ દિવસને ગુડવિલ ડે તરીકે ઉજવે છે.

રાહુલ ગાંધીએ લદ્દાખમાં ફૂટબોલ મેચમાં ભાગ લીધો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં અલગાવવાદના મુદ્દે યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી. તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક રાજકીય લોકો દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહ્યા છે. જો તમે ભારતમાં જાવ, જનતાની વચ્ચે જાવ, તો તમે જોશો કે લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર છે.

રાહુલે કહ્યું કે લોકો ભારતની વિવિધતાને ખૂબ ઊંડાણથી સમજે છે, જે આપણા દેશની તાકાત છે. લોકોની વચ્ચે જઈને ઘણું શીખવા મળ્યું. અમે જુદા જુદા રાજ્યોમાં ગયા. હજારો લોકો સાથે વાત કરી. દેશના મુખ્ય મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, પર બહુ વાત કરવામાં આવતી નથી. નફરતની વાત થાય છે કે પછી ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાનની વાત થાય છે. દેશના મુખ્ય મુદ્દાઓ પર કોઈ વાત થતી નથી. લદ્દાખમાં રાહુલ ગાંધીએ Spituk team અને Spituk 11 ટીમો વચ્ચે ફૂટબોલ મેચમાં પણ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article