દરેક ભારતીય પેદા કરે ત્રણ બાળકો… વસ્તીને લઈને સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યુ મોટુ નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં મોહન ભાગવતે જન્મદર પર બોલતા કહ્યુ કે ભારતના તમામ લોકોએ ત્રણ બાળકો કરવા જોઈએ. તેમણે કહ્યુ દુનિયામાં ત્રણથી ઓછા જન્મદરવાળા સમાજ ધીરે-ધીરે લુપ્ત થઈ જાય છે. ભાગવતે યુવાનોને લગ્નમાં વિલંબ ન કરવા અને ત્રણ સંતાનોના ફાયદા અંગે જણાવ્યુ.

દરેક ભારતીય પેદા કરે ત્રણ બાળકો... વસ્તીને લઈને સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યુ મોટુ નિવેદન
| Updated on: Aug 28, 2025 | 8:39 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીમાં આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં RSS વડા મોહન ભાગવતે પત્રકારોના અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા. આ પ્રશ્નોમાંથી એક જન્મદર પર હતો. આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે તમારે પ્રચારકને આ પ્રશ્ન પૂછવો જોઈતો ન હતો, પરંતુ હવે જ્યારે તમે પૂછ્યું છે, તો હું ભારતના તમામ લોકોને ત્રણ બાળકો પેદા કરવાની સલાહ આપીશ.

જેના ત્રણ બાળકો નથી તેઓ લુપ્ત થઈ જશે

તેમણે કહ્યું કે દુનિયાના બધા શાસ્ત્રો કહે છે કે જેમનો જન્મદર ત્રણ કરતા ઓછો છે, તેઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. તો તેને ત્રણથી ઉપર રાખવું જોઈએ. દુનિયાનો દરેક સમાજ આવું કરે છે. બીજું, ડૉકટરો મને કહે છે કે લગ્નમાં વધુ વિલંબ ન કરવો જોઈએ અને ત્રણ બાળકો થવાથી માતા-પિતા અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. જે ઘરમાં ત્રણ બાળકો હોય છે, ત્યાં બાળકો અંદરોઅંદર ઈગો મેનેજમેન્ટ શીખી લે છે, આથી તેમના પારિવારિક જીવનમાં કોઈ ડિસ્ટર્બેન્સ નથી આવતુ.

હું તો પ્રાણીઓનો ડૉક્ટર છું: મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવતે કહ્યું કે હું પ્રાણીઓનો ડૉક્ટર છું, તેમા આ વિષય નથી. મનુષ્યોના ડૉક્ટરો મને આ બધું કહે છે. દેશની જે પોપ્યુલેશન પોલિસી છે તે 2.1 ની ભલામણ કરે છે. એ તો ઠીક છે પણ જ્યારે બાળકો હોય છે, ત્યારે તે એક જ હોય છે. ગણિતમાં, 2.1 નો સૌથી નજીકનો ગુણાંક 2 છે પરંતુ માનવ જન્મમાં, 2 પછી, 2.1 નહીં પરંતુ 3 હોય છે. તેથી, માનવ જન્મના કિસ્સામાં, 2.1 નો અર્થ 3 થાય છે.

ત્રણથી વધુ બાળકો ન હોવા જોઈએ

ભારતના દરેક નાગરિકે જોવું જોઈએ કે તેમના ઘરમાં ત્રણ બાળકો હોવા જોઈએ પરંતુ આનાથી વધુ ન હોવા જોઈએ. હું આ દેશના ભલા માટે કહી રહ્યો છું. પરંતુ આ પેઢીને એવી પણ ચિંતા છે કે કાલે તેમને ખોરાક આપવો પડશે. એટલા માટે વસ્તી નીતિની ભલામણ કરવામાં આવે છે. જો આપણે જન્મ દર વિશે વાત કરીએ, તો દરેકનો જન્મ દર ઘટી રહ્યો છે. હિન્દુઓનો જન્મ દર પહેલાથી જ ઘટી રહ્યો હતો, તેથી તે દેખાઈ રહ્યો છે, પરંતુ અન્ય લોકોએ પાછળથી પગલાં લીધાં, તેથી તેમનો જન્મ દર એટલો દેખાતો નથી. જોકે, તેમનો જન્મ દર પણ ઘટી રહ્યો છે.

ટેરિફના ટેન્શન વચ્ચે ભારત પાસેથી આ વસ્તુઓ તો અમેરિકાએ ખરીદવી જ પડશે, નથી બીજો કોઈ ઓપ્શન

Follow Us
Loading...
Unable to load recommendations.