Rahul Gandhi વીર સાવરકર મુદ્દે માફી માગે, નહીં તો FIR દાખલ કરીશ, સાવરકરના પૌત્ર રંજીતે આપી ચિમકી

|

Mar 28, 2023 | 12:26 PM

રંજીત સાવરકરે કહ્યું કે જો વીડી સાવરકરે અંગ્રેજ શાસનની માફી માંગી હોય તો રાહુલ ગાંધીએ તે સાબિત કરવું જોઈએ. તેમણે આવા દસ્તાવેજો રજૂ કરવા જોઈએ, જેમાં એવું લખવામાં આવ્યું છે કે વીડી સાવરકરે અંગ્રેજ શાસનની માફી માંગી હતી

Rahul Gandhi વીર સાવરકર મુદ્દે માફી માગે, નહીં તો FIR દાખલ કરીશ, સાવરકરના પૌત્ર રંજીતે આપી ચિમકી

Follow us on

Ranjit Savarkar on Rahul Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વીડી સાવરકર પર આપેલા નિવેદનને લઈને હોબાળો થયો છે. હવે વીડી સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. રંજીત સાવરકરે કહ્યું કે રાહુલ ગાંધીએ મારા દાદા વિરુદ્ધ કરેલા નિવેદન માટે માફી માંગવી જોઈએ. જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો હું તેમની સામે એફઆઈઆર નોંધાવીશ.

રંજીત સાવરકરે કહ્યું કે જો વીડી સાવરકરે અંગ્રેજ શાસનની માફી માંગી હોય તો રાહુલ ગાંધીએ તે સાબિત કરવું જોઈએ. તેમણે આવા દસ્તાવેજો રજૂ કરવા જોઈએ, જેમાં એવું લખવામાં આવ્યું છે કે વીડી સાવરકરે અંગ્રેજ શાસનની માફી માંગી હતી. રંજીત સાવરકરે એમ પણ કહ્યું કે દેશ માટે બલિદાન આપનારા દેશભક્તોના નામનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ ન થવો જોઈએ. આવું કરવું બિલકુલ ખોટું છે. રાહુલ ગાંધી સામે કાર્યવાહી થવી જોઈએ.

જણાવી દઈએ કે ભાજપે રાહુલ ગાંધીને અલગ-અલગ મામલાઓમાં માફી માંગવા કહ્યું હતું. આ અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો. લોકસભાની સદસ્યતા ગુમાવ્યા પછી, જ્યારે રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા હતા, ત્યારે મીડિયાએ તેમને ભાજપ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, જેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ તેમના નિવેદનો માટે માફી માંગશે નહીં. ગાંધીજી માફી માંગતા નથી. હું સાવરકર નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ મુદ્દે શું કહ્યું સ્મૃતિ ઈરાનીએ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિશાન માત્ર મોદી છે. જ્યારે મોદીનું લક્ષ્ય માત્ર અને માત્ર દેશનો વિકાસ છે. રાહુલ ગાંધીએ 4 મે, 2019ના રોજ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીની ઈમેજ પર પ્રહાર કરતા રહેશે, પરંતુ તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યેના લોકોના પ્રેમને ઓછો કરી શક્યા નથી. ઈરાનીએ વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીનું અપમાન કરતી વખતે રાહુલે સમગ્ર ઓબીસી સમુદાયનું અપમાન કર્યુ છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીના જીવનનું એકમાત્ર ધ્યેય નરેન્દ્ર મોદીની છબીને કલંકિત કરવાનું છે. ના તો તેઓને લોકશાહી સાથે કોઈ લેવાદેવા છે કે ના તો તેમને OBC સમુદાય માટે કોઈ માન છે. બંગલો ખાલી કરવાના સવાલ પર ઈરાનીએ કહ્યું કે ઘર તેમનું નથી.

યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી પર ઈરાનીએ કહ્યું કે શબ્દો રાહુલ ગાંધીના છે પરંતુ સંસ્કાર સોનિયા ગાંધીના છે. માત્ર યુથ કોંગ્રેસની જીભ છે. આ પહેલીવાર નથી કે યુથ કોંગ્રેસે અભદ્ર ટિપ્પણી કરી હોય. જ્યાં સુધી પાર્ટીમાં રાહુલ અને સોનિયા ગાંધી છે ત્યાં સુધી પાર્ટીના જે નેતા પ્રમોશન ઈચ્છે છે તે મારા પર આવી ટિપ્પણીઓ કરતા રહેશે.

Published On - 12:26 pm, Tue, 28 March 23

Next Article