પંજાબમાં આવેલા પૂરનો પ્રકોપ કુદરતી કે માનવસર્જિત? 43નાં મોત, 9 લાખ લોકોનું સ્થળાંતર, લાખો હેક્ટર પાક બર્બાદ- જવાબદાર કોણ?

પંજાબ આ વર્ષના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યુ છે. હાલ રાજ્ય સરકારે 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કર્યા છે. શુક્રવારના આંકડા મુજબ 1902 ગામો પાણીમાં ગરકાવ થયા છે. જેમા સાડા ત્રણ લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે અને 11.7 લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન નાશ પામી છે. 43 લોકોના મોત થયા છે. લાખો લોકો વીજળી અને સ્વચ્છ પાણીથી વંચિત છે. અનેક ગામોમાં મરેલા પ્રાણીઓના મૃતદેહો દુર્ગંધ મારી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે પંજાબમાં આવેલુ આ પૂર કેટલા અંશે કુદરતી અને કેટલા અંશે માનવસર્જિત છે?

પંજાબમાં આવેલા પૂરનો પ્રકોપ કુદરતી કે માનવસર્જિત? 43નાં મોત, 9 લાખ લોકોનું સ્થળાંતર, લાખો હેક્ટર પાક બર્બાદ- જવાબદાર કોણ?
| Updated on: Sep 19, 2025 | 2:48 PM

ભારતમાં છેલ્લા 10 વર્ષોમાં પૂરનું પ્રમાણ ઘણુ વધ્યુ છે. વર્ષ 2014 થી 2024 વચ્ચે દેશના 3 લાખ વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તારો એટલે કે દેશની કૂલ જમીનનો 10 ટકા હિસ્સો કોઈને કોઈ પ્રકારે પૂરથી પ્રભાવિત થયો હોય છે. ખાસ કરીને પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આ ચોમાસામાં વરસાદે જે ભારે તબાહી સર્જી છે. નદીઓમાં આવેલુ પૂર, નબળા બંધો અને પાણીના નિકાલની અવ્યવસ્થાએ પૂરને વધુ વિનાશક બનાવી દીધુ છે. આ વર્ષે પંજાબમાં આવેલા પૂરે ભારે તારાજી અને બરબાદી નોતરી છે. સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં જળસ્તર વધતા ભાખડા, પોંગ અને રણજીતસાગર ડેમમાંથી પાણી છોડવાને કારણે 1902 જેટલા ગામડા તણાઈ ગયા છે. જેનાથી 3.84 લાખ લોકો પ્રભાવિત થયા છે. 43 લોકોના મોત થયા છે. 9 લાખ લોકો તેમના ઘરો મુકીને સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. 1.7 લાખ હેક્ટર જમીનમાં પાક બર્બાદ થઈ ગયો છે. ગુરદાસપુર, અમૃતસર અને ફિરોઝપુર જેવા જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. ક્લાઈમેટ ચેન્જને કારણે વાદળ ફાટવાની ઘટનાઓ પણ...

Published On - 8:04 pm, Mon, 8 September 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us