Punjab : હરીશ રાવત પાસેથી જવાબદારી પરત લેવામાં આવી રહી છે ? પંજાબ કોંગ્રેસની ઉથલપાથલનો ઉકેલ શોધી શક્યા નથી, હવે આમને તક મળશે

|

Oct 02, 2021 | 1:01 PM

પંજાબમાં તાજેતરમાં નેતૃત્વ પરિવર્તન દરમિયાન, હરીશ ચૌધરીને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું અને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવી.

Punjab : હરીશ રાવત પાસેથી જવાબદારી પરત લેવામાં આવી રહી છે ? પંજાબ કોંગ્રેસની ઉથલપાથલનો ઉકેલ શોધી શક્યા નથી, હવે આમને તક મળશે
Harish Rawat

Follow us on

પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress) ઉથલપાથલ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર, કોંગ્રેસના પંજાબ બાબતોના પ્રભારી હરીશ રાવત (Harish Rawat) પાસેથી તેમની જવાબદારી છીનવી શકાય છે. હરીશ રાવતના સ્થાને રાજસ્થાન સરકારના મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીને કોંગ્રેસને પંજાબના પ્રભારી બનાવી શકાય છે.

પંજાબમાં તાજેતરમાં નેતૃત્વ પરિવર્તન દરમિયાન, હરીશ ચૌધરીને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું અને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવી.

સૂત્રો એમ પણ કહે છે કે હરીશ ચૌધરી પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ સાથે વાતચીત દ્વારા સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિદ્ધુએ આ સપ્તાહની શરૂઆતમાં પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. દરમિયાન પંજાબ કોંગ્રેસમાં હરીશ રાવત અને પૂર્વ સીએમ અમરિંદર સિંહ વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાવતે ઠપકો આપ્યો

રાવતે મહત્વના મુદ્દાઓ પર પોતાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવા બદલ અમરિંદર સિંહને ઠપકો આપ્યો હતો. હરિશ રાવતે અમરિંદર સિંહના આક્ષેપોને પણ સ્પષ્ટપણે ફગાવી દીધા હતા, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમરિંદર સિંહનું કોંગ્રેસમાં અપમાન થયું છે. સાથે જ અમરિંદર સિંહે પણ હરીશ રાવત પર પ્રહાર કર્યા હતા. 18 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વના કાર્યોથી તેમને “અપમાન” જેવું લાગ્યું છે. તેમણે કહ્યું કે બધાએ મારું અપમાન જોયું છે અને છતાં રાવત તેનાથી વિપરીત દાવા કરી રહ્યા છે.

કેન્દ્રને ચેતવણી આપી

કોંગ્રેસના મહાસચિવ અને પંજાબમાં પાર્ટી બાબતોના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે પંજાબમાં બહુમતી સરકારને ઉથલાવવાનો પ્રયાસ ન કરો. સાથોસાથ, એવો આક્ષેપ કર્યો હતો કે અમિત શાહ જેવા ભાજપના નેતાઓ સાથે અમરિન્દર સિંહની નિકટતા પૂર્વ મુખ્યમંત્રીની બિનસાંપ્રદાયિક છબી પર સવાલો ઉભા કરે છે. રાવતે એમ પણ કહ્યું કે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે વાતચીત આગળ વધી છે.

 

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયુ……

આ પણ વાંચો : Jal Jivan Mission App Launched: PM મોદીએ લોન્ચ કરી જલ જીવન મિશન એપ, પાણી સમિતિઓ અને ગ્રામ પંચાયતો સાથે કર્યો વર્ચ્યુયલ વાર્તાલાપ

Next Article