Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે

|

Mar 22, 2022 | 12:53 PM

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસ એટલે કે આવતીકાલે, બુધવારે સમગ્ર પંજાબમાં રજા રહેશે. વિધાનસભામાં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે
Punjab AAP govt declares public holiday on March 23
Image Credit source: File Photo

Follow us on

Punjab: પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સત્તામાં આવી છે અને રાજ્યની ભગવંત માન (Bhagwant Mann ) સરકાર સતત મોટા નિર્ણયો લઈ રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. વિધાનસભા (Assembly)માં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ વખત સમગ્ર પંજાબમાં શહીદ દિવસની રજા છે.

આ પહેલીવાર હશે જ્યારે સરદાર ભગત સિંહના શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા હશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ માન સરકારે શહીદ દિવસને લઈને એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ સાથે 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંજાબની શાળાઓમાં દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં આવનારી પેઢીને ભગતસિંહના જીવન વિશે જણાવવામાં આવશે.

વિધાનસભામાં મુખ્યમંત્રી સરદાર ભગવંત માને કહ્યું કે, આ અવસર પર પંજાબના લોકો, વડીલો અને બાળકો ભગતસિંહને તેમના ગામ ખટકરકલાન જઈને શ્રદ્ધાંજલિ આપી શકશે. અંગ્રેજો સામેના આઝાદીના યુદ્ધમાં ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસી આપવામાં આવી હતી. લાહોર ષડયંત્રના આરોપમાં ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભગતસિંહના મૂળ ગામમાં શપથ લેવામાં આવ્યા હતા

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને ગયા અઠવાડિયે પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે સરદાર ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે શપથ લીધા હતા. પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત દ્વારા માનને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદથી માન, ભગત સિંહની વિચારધારાને આગળ ધપાવવાનો સતત દાવો કરી રહ્યા છે.

ભગવંત માન ભગત સિંહના સન્માનમાં બસંતી પાઘડી પહેરે છે. ભગવંત માને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેલા લોકોને બસ્તી રંગની પાઘડી પહેરીને આવવાની અપીલ કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી ભગવંત માને તેમની ઓફિસમાં સરદાર ભગત સિંહ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરો લગાવી હતી.

 

 

 

આ પણ વાંચો : Earthquakes: ભૂકંપની ‘સુનામી’થી હચમચી ગયો આ ટાપુ , માત્ર 48 કલાકમાં 1100થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા !

 

Next Article